SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જેમ જેમ સાબુ લગાડો તેમ કપડાંનો મેલ ધોવાતો જાય, રાખથી વાસણ ઘસો વાસણ ઉજળું થાય, કાચના અરીસા ઉપર ડાઘ પડ્યા હોય ને પોતું કરો તો અરીસો (કાચ) ચોખ્ખો થાય, જેમ જેમ ચંદન ઘસો તેમ તેમ સુગંધ આપે, અગરબત્તી જેમ જેમ સળગે તેમ સુવાસ આપે છે, તેમ સાધક સત્કર્મો કરે, વ્રત ને અનુષ્ઠાન કરે, પૂજા, પાઠ, માળા, દેવવંદન, પ્રતિક્રમણ, સામાયિક, આજ્ઞા ભક્તિ વિગેરે ક્રિયા કરે, આશ્રય ભક્તિ, પરા ભક્તિ, પરમ ભક્તિ, ધ્યાન ને તપ કરે તો તેના જીવનમાંથી સુગંધ પ્રસરતી જાય, એ સરળ બની જાય, સૌજન્યમૂર્તિ બની જાય, સહાનુભૂતિવાળો બની જાય, એ શાંત થાય, એ વિવેકી ને સહન કરનાર થાય, એ ઉદાર દિલનો અને ખમી ખાનારો થાય, બાંધછોડ કરવા તૈયાર થાય, પણ જો આવું ન કરે ને એ કહે કે “સાહેબ ! હું પાછો પડું તેવો નામર્દ નથી. અરે ! ઘરના નળિયા વેચાઈ જાય તો પણ હું સમાધાન કરવા તૈયાર નથી, અમારા વડવા કેવા હતા? બાંધછોડ કરે તે બીજા, અમે નહિ” આવો જીવ સંવત્સરી પ્રતિક્રમણ કરે છે, બધા જીવો સાથે ક્ષમાપના કરે છે, મિચ્છામિ દુક્કડ આપે છે, પણ જેની સાથે મન દુઃખ થયું છે, અબોલા છે, તેને ક્ષમાપના- મિચ્છામિ દુક્કડ આપવા તૈયાર નથી. જીવ બીજાની ભૂલ ભૂલવા તૈયાર નથી. આટલા વર્ષો સાધના કર્યા પછી, ક્રિયાઓ કર્યા પછી, જો આટલો ફેરફાર ન થાય તો તેને પરમકૃપાળુ દેવ ક્રિયાજડ કહે છે. આટલા વર્ષો સાધના કર્યા પછી તમારું દિલ જરા પણ ઉદાર ન થાય, તમે ક્ષમા આપી ન શકો, પ્રેમભરી આંખે બીજાની સામું ન જોઈ શકો, તમે સહિષ્ણુ ન થઈ શકો, તમારું મન નિર્મળ ન બને તો જોવું જોઈએ કે ભૂલ ક્યાં રહી જાય છે? ક્રિયા કરતા કરતા, ભક્તિ કરતા કરતા મન નિર્મળ બને છે, ભક્ત ભગવાનમાં તન્મય તદાકાર બને છે, માટે કબીરજીએ કહ્યું કે, મન ઐસા નિર્મલ ભયા, જેસો ગંગા નીર. જેમ જેમ ક્રિયા કરી, ભક્તિ કરી તેમ મન નિર્મળ થયું પણ આગળ વધીને કબીરજીએ વાત કરી “એક દિન ઐસા થા કી કબીર હરિ હરિ કર રહા થા, અબ ઐસી કુછ ઘટના બન ગઈ કી હરિ કબીર કબીર કર રહા હૈ.” આને કહેવાય છે ક્રિયા, સમ્યક્ ક્રિયા, જ્ઞાનીની આજ્ઞાપૂર્વક થતી ક્રિયા. ધાર્મિક ક્ષેત્રમાં મોટો વર્ગ ક્રિયા જડ છે, એને ખબર જ નથી કે આ અમે કેમ કરીએ છીએ? ને શાને માટે કરીએ છીએ? એક મસ્જિદમાં એક નવો જુવાન નમાઝ પઢવા પહેલી જ વખત ગયો, તેણે બાજુમાં રહેલાને પૂછ્યું “ક્યા કરના?” પેલાએ કહ્યું કે “આગેવાલા જો કરતા હૈ વૈસા તુમ કરના.” ભીડ બહુ હતી. આગળથી ધક્કો આવ્યો. એ સમજ્યો કે પાછળ ઊભો હોય તેને કોણી મારવી, તે નમાઝ પઢવાની પહેલી ક્રિયા હશે, એટલે એણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy