SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઈન્દ્રિય આદિની પકડમાં આવે તેવો નથી પણ તેનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય. અનુભવગોચર વસ્તુ છે રે, જાણવો એહી રે ઈલાજ, કહન સુનન કો કછું નહીં પ્યારે, આનંદધન મહારાજ, નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રુપ. કોઈએ આનંદધનજીને પૂછ્યું હશે કે તમે જે આત્માની વાત કરો છો તે કેવો છે? તેની નિશાની-ચિન્હતો બતાવો. લાચાર છે આનંદધનજી, કારણ તેની નિશાની બતાવી શકાય તેમ નથી. જે દશ્ય છે, જે રૂપી છે, ઈન્દ્રિયોની પકડમાં આવે છે તેનું ચિન્હ, નિશાની જણાવી શકાય. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે પણ એ સ્થૂળ ચિન્હ નથી. તેનો આકાર, કદ, વજન નથી, પણ છે, તે અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ શબ્દોમાં ન થાય, તેનો અનુભવ ધ્યાનમાં થાય. ધ્યાન અવસ્થામાં જેમણે અનુભવ કર્યો છે એમણે એમ કહ્યું કે એવું એક તત્ત્વ છે જે શરીરથી, ઈન્દ્રિયોથી, પ્રાણથી, મનથી, બુદ્ધિથી ભિન્ન છે, શબ્દોથી અને સમગ્ર પુદ્ગલથી ભિન્ન છે. આધ્યાત્મિક સૃષ્ટિમાં સૌથી મોટું પાયાનું જો કોઈ તત્ત્વ હોય તો આત્મા છે. શાસ્ત્રોમાં જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ આ નવ તત્ત્વો કહ્યાં છે, પણ આ તત્ત્વોમાંથી જો આત્માને કાઢી લો તો શું રહેશે? આત્મા છે તો પુણ્ય છે, પાપ છે, આસ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. આત્મા છે તો જગતમાં અજીવ છે, પુદ્ગલ છે, તેમ કહેનારો છે. એક મિનિટ માટે કલ્પના કરો જગતમાંથી આત્મા નામનું તત્ત્વ વિદાય લઈ લે તો જગત છે તેમ કોણ કહેશે? ઉપનિષદમાં એક મીઠો વાર્તાલાપ થયો છે. એક વખત ઈન્દ્રિયોને, મનને, બુદ્ધિને એમ થયું કે અમે છીએ તો આ બધું ચાલે છે. આ ઝઘડો જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. તેમણે કહ્યું કે એક કામ કરીએ કે એક એક તત્ત્વ વિદાય લે અને તેના વગર જો ચાલતું હોય તો સમજવું કે તેના વગર ચાલે તેવું છે. આંખને ઉતાવળ હતી, તેણે કહ્યું કે હું પહેલાં વિદાય લઉં છું. એક વર્ષ નહીં આવું અને આંખ ગઈ. એક વર્ષ પછી પાછી આવી, જોયું કે વ્યવહાર ચાલ્યો. જગતમાં ઘણાં આંધળાઓ છે, તેમનો વ્યવહાર ચાલે છે. પછી કાન ગયા, કાન વગર ચાલ્યું. સ્વાદ વગર પણ ચાલ્યું. મન વગર પણ ચાલ્યું. છેવટે ચૈતન્ય તત્ત્વ-આત્મા કહે છે કે હવે હું જાઉં છું. તમે લહેર કરો. લહેર શું કરે ? કાળો કેર થઈ જાય. આત્મા છે તો આ શરીર અને ઈન્દ્રિયો વગેરે કામ કરે છે. એ આત્માનો ઈન્કાર કરવો એ ભૌતિકવાદીનું પહેલું સૂત્ર છે. તેથી એનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તેની વચમાં વિધિનિષેધ, પુણ્ય અને પાપ, કર્તવ્ય-અકર્તવ્ય કે નિયમો આવતાં નથી. ભગવાન મહાવીર સ્વામીના વખતમાં અજ્ઞાની જીવો આમ બોલતા હતા : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy