SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ સમગ્ર આચરણ, સમગ્ર અભિગમ ભૌતિકતા તરફ છે. તેના જીવનમાં (૧) આહાર (૨) નિદ્રા (૩) ભય (૪) વિષયોપભોગ (૫) સંપત્તિ અને (૬) સત્તા આ છ મહત્ત્વના સૂત્રો છે. તે છની આજુબાજુમાં જ પોતાનો વ્યવહાર ને પ્રક્રિયા ગોઠવે છે. પોતાનું સમગ્ર જીવન અને પ્રકૃતિએ આપેલ તમામ શક્તિઓનો વિનિયોગ એ માટે જ કરે છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.” આવું શ્રેષ્ઠ માનવ જીવન તે આ છની પાછળ ખોઈ નાખે છે. સમગ્ર આધ્યાત્મિક સાધનામાં આધારભૂત તત્ત્વ આત્મા છે અને ભૌતિકવાદીના સમગ્ર જીવનનું આધારભૂત તત્ત્વ શરીર છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ એ પાંચ મહાભૂતોમાંથી બન્યું છે. પાંચ મહાભૂતના પૂતળામાં-શરીરમાં જે એક તત્ત્વ છે તેને બાદ કરીને ભૌતિકવાદી પાંચ મહાભૂતોનો સ્વીકાર કરે છે. ચૈતન્યનું શરીરમાં ઊતરવું તેને જન્મ કહે છે ને શરીરમાંથી ચૈતન્યનું નીકળી જવું એને મૃત્યુ કહે છે. ચૈતન્યના કારણે શરીરમાં સ્પંદન તથા ક્રિયાઓ થાય છે ને આ શરીર જેનાથી શોભે છે તે ચૈતન્ય તત્ત્વનો ભૌતિકવાદી ઈન્કાર કરે છે. આત્મા નથી એ ભૌતિકવાદીનું સૂત્ર છે અને આત્મા છે એ અધ્યાત્મવાદીનું સૂત્ર છે. ભૌતિકવાદીએ આત્મા નથી એવો સ્વીકાર કર્યો એટલે કર્મ પણ નથી. કર્મ નથી એટલે બંધ નથી. બંધ નથી એટલે પુણ્ય-પાપ નથી. પુણ્ય-પાપ નથી એટલે પુનર્જન્મ નથી. પુનર્જન્મ નથી એટલે સુખ-દુ:ખના કોઈ કારણો નથી. સુખ-દુઃખનાં કારણો નથી એટલે કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક મેળવવાની ધર્મ અને અધર્મને જાણવાની જરૂર નથી. એની સમગ્ર દુનિયા પુદ્ગલમાં છે. જૈન દર્શનમાં એક શબ્દ છે “બહિરાત્મ દશા.” આતમ બુદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુમતિ ચરણકજ આતમ અર્પણા. (આનંદધનજી મ.) ભૌતિકવાદીની માન્યતા પ્રમાણે આત્મા નથી એવો સ્વીકાર કરશો તો “આત્મા છે' એના પાયા ઉપર જે ધર્મની ઈમારત ઊભી થાય છે તે તૂટી જાય. જીવનમાં ધર્મની જરૂર રહે નહીં. આત્મા છે એવો સ્વીકાર થાય તો ઘર્મની, ધ્યાનની, ભક્તિની, સત્સંગની, સપુરુષની, સમ્યજ્ઞાનની જરૂર. જો આત્મા નથી એમ સ્વીકારે તો બધાનો છેદ મુકાઈ જાય છે. આત્મા નથી એવો જેણે સ્વીકાર કર્યો, તેણે તમામ અતીન્દ્રિય સૃષ્ટિનો અસ્વીકાર કર્યો. અતીન્દ્રિય સૃષ્ટિ એટલે કે ઈન્દ્રિયોની પકડમાં ન આવે, મનની પકડમાં ન આવે, બુદ્ધિની પકડમાં ન આવે, શબ્દોની પકડમાં ન આવે, છતાં જેનું હોવાપણું છે તે. વેદાંતમાં તેનું મઝાનું વર્ણન કર્યું છે. “નેતિ, નેતિ, નેતિ.” ના, એ નથી, એ નથી, એ તેનાથી જુદો છે, ભિન્ન છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy