SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૪ ગાથા ક્રમાંક - ૩ સાધના માર્ગમાં ભૂલો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. (૩) ટીકા કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે. એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. સાધકના જીવનમાં, સાધનાના માર્ગમાં બે પ્રકારની સૌથી મોટી ભૂલો થાય છે. એનું વર્ણન આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. મહેનત, પુરુષાર્થ કરવા છતાં સાધનાના માર્ગમાં જો યથાર્થ પરિણામ આવતું નથી તો ફરી વિચારવું પડે કે ક્યાં ભૂલ રહી જાય છે? ક્યાં ખામી રહી જાય છે? જીવે સાધના કરી નથી એમ નથી પણ બે ભૂલો રહી ગઈ છે. એક જ્ઞાનની અને બીજી ક્રિયાની. ભૂલ ક્રિયામાં નથી, ભૂલ જ્ઞાનમાં નથી, પણ જે ક્રિયાનો કરનાર છે, જે જ્ઞાન પ્રાપ્ત કરનાર છે એના અભિગમના કારણે, એની ભૂલના કારણે ક્રિયાની અને જ્ઞાનની ભૂલ છે, એમ કહેવાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માની, સાધનાની, ધ્યાનની વાત આવશે, સમ્યગદર્શનની ને ષપદની વાત આવશે, સમર્પણની ને ગુરુભક્તિની પણ વાત આવશે, નિશ્ચય ને વ્યવહારની વાત આવશે, નિમિત્ત અને ઉપાદાનની વાત આવશે ને પોતાની વૃત્તિના રૂપાંતરની પણ વાત આવશે. આવી ગંભીર વાતોમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનામાં થતી ભૂલો સાધકે અવશ્ય સમજી લેવી જોઈએ. તે સમજવા માટે ત્રણ ગાથા જોતાં પહેલાં પ્રાસ્તાવિક વાત વિચારીએ. સમગ્ર વિશ્વ, સમગ્ર માનવજાત એ રાષ્ટ્ર, જ્ઞાતિ, જાતિ, લિંગ, વર્ણ, ધર્મ, સંપ્રદાય, વિચારોની રીત આદિ ઘણા વિભાગમાં વહેંચાયેલી છે તેમાં બે મોટા વિભાગો છે. (૧) ભૌતિકવાદી-ભોગવાદી (૨) અધ્યાત્મવાદી (ધર્મ પરાયણ માનવો). જેનામાં અધ્યાત્મ નથી, જે અતીન્દ્રિય સૃષ્ટિનો ઈન્કાર કરે છે તે ભૌતિકવાદીનું સમગ્ર ચિંતન, સમગ્ર વલણ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy