SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્રઅગોપ્ય. આત્માર્થી જીવને સમ્યક સમજ પ્રાપ્ત થાય તેથી આ મોક્ષનો માર્ગ સ્પષ્ટપણે વર્ણવ્યો છે. માર્ગ ગોપવવા જેવો નથી. ગોળ ગોળ વાત નથી કરવી. નેશનલ હાઈવેનો માર્ગ છે. મહારાષ્ટ્રમાં શબ્દ છે “ઘોપટ માર્ગ સમવસરણમાં તીર્થકર ભગવંતે બાર પર્ષદા વચ્ચે આ માર્ગ ઉપદેશ્યો છે. પરમાર્થનો માર્ગ સાચો હોવો જોઈએ અને જો તે મળી જાય તો બધા સંદેહ મટી જાય. શ્રીમદ્જીએ ગાયું છે કે; “મારગ સાચા મીલ ગયા, છૂટ ગયે સંદેહ.” આત્મસિદ્ધિના ઊંડાણમાં જવું છે, એને માણવી છે, ચાખવી છે, કાંઈ જ ગોપવવું નથી, ઘૂંટવું છે. “મને ગુણવર્ધનમ.’ જેમ જેમ મર્દન થાય, ઘૂંટાય તેમ તેમ ગુણનું વર્ધન થાય છે. આત્માર્થીને સમજાય તેટલા માટે સરળતાથી સમજાવ્યું છે ને તેને જે જે પ્રશ્નો ઊઠે, ઉઠવાના છે તે કદાચ પૂછી ન શકે, મૂંઝવણ થાય તેથી બધા પ્રશ્નો તથા જવાબ પણ સાથે આપ્યા છે. આનાથી શું થાય? ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય. વિસંવાદ, વિખવાદ ન થાય. પ્રેમ હોય ત્યાં સંવાદ હોય, ભક્તિ હોય ત્યાં સંવાદ હોય, ઉદારતા હોય ત્યાં સંવાદ હોય, સહિષ્ણુતા હોય ત્યાં સંવાદ હોય. ગુરુ શિષ્યના સંવાદરૂપ આ આત્મસિદ્ધિની રચના છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy