SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ हत्था गया, इमे कामा, कालिया जे अणागया। વો નાફ પરે ત્રોએ થિ વા નલ્થિ વા પુણો II (ઉત્તરાધ્યયનસૂત્ર) “અરે ભાઈ ! જ્ઞાની પુરુષોની વાત સાંભળવાની જરૂર નથી. અમારી વાત સાંભળો અમે તમારા હિતમાં, તમારા ભલા માટે વાત કરીએ છીએ. તેઓ જે વાત કરે છે એ આપણી સારી વાતોમાં, આપણા ભોગમાં, આપણી મઝામાં પથ્થરો નાખે છે. હાથમાં આ કામ ભોગો આવ્યા છે, તેને ભોગવવા ઈન્દ્રિયો પણ આપણને મળી છે, શરીર મળ્યું છે, ભોગવી શકાય તેવી ક્ષમતા મળી છે તો એ ભોગવી લો ને? કોને ખબર છે, પરલોક છે કે નહીં? કોને ખબર છે કે પાપ કે પુણ્ય છે કે નહિ? કોને ખબર છે કે કર્મના ફળો ભોગવવાનાં છે કે નહિ? કોને ખબર છે કે ફરી જન્મ લેવાનો છે કે નહિ?” ભૌતિકવાદીનું કામ વચમાંથી ધર્મને ખસેડવાનું છે. એની વ્યવસ્થા એવી છે કે અતીન્દ્રિય તત્ત્વનો ઈન્કાર જો થાય તો શરીર કેન્દ્રમાં આવે ને કોઈ પણ મર્યાદા વિના ભોગ પરાયણ જીવન જીવાય. આમ ભૌતિકવાદી માટે એનું કેન્દ્ર શરીર છે. આજે આપણે પણ કહેવાતા ધાર્મિક-આધ્યાત્મિકવાદી બોલીએ છીએ કે, આત્મા છે તે નિત્ય છે. તે કર્મનો કર્તા છે. આ બધી વાતો ખરી, પપદ ખરા, નીતિશાસ્ત્ર ખરું પણ આ આપણા રૂપાળા શરીરમાં જો કાંઈ થાય તો આપણને ફફડાટ થાય. શરીર આપણું કેન્દ્ર છે. કૃપાળુદેવે એક અદ્ભુત શબ્દ આપ્યો, “દેહાધ્યાસ', તે શબ્દ સામાન્ય નથી. દેહની સાથે અનાદિકાળથી રહેવાથી હું દેહછું એ પ્રકારની પ્રગાઢ બુદ્ધિ એ દેહાધ્યાસ. જે શરીરમાં આપણે ગયા તે શરીર એ હું છું, એ વાતને અનાદિકાળથી ઘૂંટી અને હું આત્મા છું એ વાત તો આ જીવનમાં ભૂલેચૂકે કોઈ સાધુ સંત પાસે જઈએ તો સાંભળવા મળે. સ્વીકારની અવસ્થા તો પછી થાય. શરીર સાથે તાદાભ્ય બુદ્ધિ થઈ છે. હું દેહ છું એ પ્રકારની માન્યતા સમજ-બુદ્ધિ દઢ થઈ છે, એટલા માટે જૈનદર્શનમાં કહ્યું છે કે હું આત્મા નથી અને દેહ તે જ હું છું તે પ્રકારનો સ્વીકાર, માન્યતા તેનું નામ મિથ્યાત્વ. આ મિથ્યાત્વ બે કામ કરે છે, જે પોતે નથી તેને પોતે છે એમ સ્વીકારે છે. અને જે પોતે છે તે પોતે નથી તેમ સ્વીકાર કરે છે. શરીર પોતે નથી પણ શરીર પોતે છે તેમ સ્વીકારે છે ને પોતે આત્મા છે છતાં તે આત્મા હું નથી તેમ પોતે સ્વીકારે છે. આવો જે સ્વીકાર એને મિથ્યાત્વ કહે છે, દેહાધ્યાસ કહે છે. ભૌતિકવાદીના પાયામાં શરીર છે. શરીરને આહાર જોઈએ, શરીરને નિદ્રા જોઈએ, શરીર છે માટે ભૌતિક સાધનો ભોગ-ઉપભોગ-સંપત્તિ અને સત્તા પણ જોઈએ. શરીરને ભોગ જોઈએ, તેને ભોગ વગર ચાલતું નથી. ભોગ એટલે પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રૂપ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy