SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ કોઈ વોટર કહો, કોઈ બીઅં પપ્પુ કહે. (૩) જનસમૂહની રુચિ અધર્મ ભણી રહેશે. ત્યાગ, સંયમ, અસંગ, મૌન ઓછા ગમશે. ખાણી, પીણી, હરવું, ફરવું, સીનેમા વધારે ગમશે. સત્તર ભેદી પૂજા ભણાવે ત્યારે પૂછે કે પૂજા પછી અઢારમો ભેદ છે ? અઢારમો ભેદ ‘લાડુ’. પૂજાના સત્તર પ્રકાર ભલે હોય પણ અઢારમા ભેદમાં જ જીવોને રુચિ હોય છે. (૪) સત્ય, દયા, કરુણા, પ્રેમ, સહિષ્ણુતા, સહાનુભૂતિ, સમભાવ એ ઘટતાં જાય છે. (૫) મોહ, રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાયો વધતા જશે. (૬) દંભી, પાપી ગુરુઓ મોટું રૂપ ધારણ કરશે, પૂજ્ય રૂપ ધારણ કરશે ને મનુષ્યો તેમનાં ફંદામાં ફસાઈ જશે. (૭) સદ્ગુરુઓને સન્માન ઓછું મળશે. (૮) સમાજમાં દુષ્ટોને સન્માન વધારે મળશે. (૯) તત્ત્વજ્ઞાનના, આત્મજ્ઞાનના રસ્તાઓ છે તે ઓછા થતા જશે. (૧૦) ક્રિયાઓ વધતી જશે, ક્રિયાઓ શા માટે કરીએ છીએ તેનું જ્ઞાન ક્રિયા કરાવનારને પણ નથી હોતું. અજ્ઞાનપૂર્વક ક્રિયા થશે. (૧૧) એકાંતવાદી પક્ષોના હાથમાં માર્ગ ચાલ્યો જશે. વળી આ કાળમાં બીજી એક મોટી વેદના એ પણ છે કે પૂર્વે જેણે ધર્મનો માર્ગ આરાધ્યો છે એવા જીવો ઘણું કરીને આ વર્તમાનકાળમાં દેહ ધારણ કરતા નથી. આરાધક જીવો અલ્પ સંખ્યામાં હોવાથી પરમાર્થ માર્ગ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવો નથી. છેલ્લે છેલ્લે, આરંભ અને પરિગ્રહ વિશેષ ને વિશેષ વધતા જાય છે, તેના કારણે જીવની પાત્રતા હણાય છે. માત્ર બુદ્ધિ વધે એટલે પાત્રતા આવી એવું ન કહેવાય. જ્ઞાનીપુરુષો કહે છે કે ચિત્તની નિર્મળતા ને ચિત્તની શુદ્ધિ થવી જોઈએ અને તે આરંભ પરિગ્રહ ઘટ્યા વિના થાય નહીં. વર્તમાન કાળમાં અસત્ સંગ અને અસત્ પ્રસંગથી જીવને સદ્ગુરુની ઓળખાણ થવી દુષ્કર થઈ ગઈ છે. અસદ્ગુરુમાં મન રોકાઈ જશે. સદ્ગુરુ પડખે હશે તો ધક્કો મારીને જીવ ચાલ્યો જશે. કોણ માર્ગ બતાવશે ? માટે મોક્ષમાર્ગ બહુ દોહ્યલો છે. ‘મોક્ષ માર્ગનો બહુ લોપ થઈ ગયો છે', તો શું કરવું ? તો કહે છે કે ‘વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય.’સમગ્ર સાધના બે શબ્દોમાં આપી છે. (૧) વિચારવું અને (૨) સમજવું. વિચારથી સમજણ પ્રાપ્ત થાય. શ્રીમદ્ભુએ કહ્યું કે ‘એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા.’ શ્રી શંકરાચાર્યે કહ્યું કે ‘અર્નિશ ∞િ પરિચિન્તનીય.’ હે ગુરુદેવ ! અમારે નિરંતર શું ચિંતન કરવું ? શેનું ચિંતન કરવું ? ગુરુદેવે કહ્યું, ‘બ્રહ્મનો વિચાર કરો, આત્મ કલ્યાણનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy