SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧ થાય, કલ્યાણ થાય, મંગલ થાય, આત્મા અજ્ઞાનમાંથી મુક્ત બને, મોહમાંથી મુક્ત બને, કષાયોમાંથી મુક્ત બને, આસક્તિમાંથી મુક્ત બને, અહંકાર અને મમત્વથી મુક્ત બને, આત્મા બંધનમાંથી મુક્ત બને, આવું ચિંતન જેના મનમાં ચાલે છે તેને કહેવાય આત્માર્થી. આત્માના હિત સિવાય, આત્માના કલ્યાણ સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન નથી, એવા આત્માર્થી જીવો માટે આ શાસ્ત્રની રચના કરીએ છીએ, પણ વર્તમાનકાળમાં આત્માર્થી જીવો મળવા દુર્લભ છે. આ વર્તમાન કાળ હુંડા અવસર્પિણીનો ‘દુષમ’ નામનો પાંચમો આરો છે. આને કપરો કાળ, કઠિન કાળ કે કલિયુગ પણ કહે છે. પરમ કૃપાળુ દેવે આ કાળને પંચમકાળ કહ્યો છે. અને તેના થોડા સૂત્રો આપણે જોઈએ. (૧) આ કાળમાં મનુષ્યોની નિગ્રંથ પ્રવચન ઉપરની શ્રદ્ધા ક્ષીણ થતી જાય છે. આ નિગ્રંથ શબ્દ અદ્ભુત છે, શ્રીમદ્ભુએ ગાયું છે કે, ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’ ‘કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાય એવા, નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.’ ગ્રંથ એટલે ગ્રંથિ, ગાંઠ. જેમની ગ્રંથિઓ છૂટી ગઈ છે, જેમની ગ્રંથિઓ તૂટી ગઈ છે, ગાંઠો ઓગળી ગઈ છે તે નિગ્રંથ. મુખ્ય ગાંઠો બે છે (૧) રાગ (૨) દ્વેષ. આ રાગ, દ્વેષ, મોહ આદિ દોષો જેમના ચાલ્યા ગયા છે તે પુરુષ નિર્દોષ છે. ‘નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.’ ‘પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ’, નીતિની વાત અનીતિ કરનાર પણ કહે, પણ તેનું મહત્ત્વ નથી. અહીં નિર્દોષ નરની વાત શ્રીમદ્ભુજીએ કરી. એમણે પ્રભુ મહાવીર કે આદિનાથ શબ્દ ન મૂક્યો પણ નિર્દોષ શબ્દ મૂક્યો. માત્ર સોળ વર્ષની ઉંમરે તેઓએ આ બિનસાંપ્રદાયિકતાની, સર્વ ધર્મ સમભાવની વાત કરી. વળી તેમણે કહ્યું કે જેમણે જીવનમાં આનો અનુભવ કર્યો છે, તેનું વચન માનવા જેવું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરતી વખતે કહ્યું કે વીતરાગ પુરુષે કહેલા જે ગ્રંથો છે તેનું મંથન કરીને તથા સદ્ગુરુદેવે જે બોધ આપ્યો છે તેના આધારે તથા સ્વસંવેદન-સ્વાનુભવપૂર્વક અમે આ રચના કરીએ છીએ. આમ નિર્દોષ પુરુષ પણ જોઈએ અને સ્વાનુભવ પણ જોઈએ. તેમનું વચન તે નિગ્રંથ પ્રવચન. આવા નિગ્રંથ પ્રવચન ઉપરની મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જાય છે. (૨) ધર્મના મૂળ તત્ત્વોમાં મત મતાંતર વધશે. સત્ય અને મત બન્નેનો મેળ પડતો નથી. પરમાર્થનો પંથ તો ત્રણે કાળમાં એક જ હોય. ‘એવં સત્ વિપ્રા નદુધા વવન્તિ.’ સત્ય જુદું હોઈ શકતું નથી. ભાષામાં ભેદ હોઈ શકે, જેમ પાણીને કોઈ જળ કહે, કોઈ નીર કહે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy