SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ O પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કર્મનું બીજ છે અને કર્મ રાગ-દ્વેષરૂપ મોતનું કારણ છે. જન્મ મરણનું મૂળ કારણ કર્મ છે અને જન્મ મરણ દુઃખનું કારણ છે. જગતમાં મરણ જેવું બીજું કોઈ દુઃખ નથી. બીજા બધા દુઃખો મરણથી હેઠે છે, પણ મરવું કોને પડે ? કર્મ હોય તેને. કર્મ કોને વળગે છે? રાગદ્વેષ હોય તેને. રાગદ્વેષ ક્યાંથી આવે? રાગદ્વેષ મોહમાંથી આવે. મોહ ક્યાંથી આવે છે? મોહ અજ્ઞાનમાંથી આવે છે. આમ અજ્ઞાનમાંથી મોહ, મોહમાંથી રાગ દ્વેષ થાય અને રાગ દ્વેષથી કર્મ બંધાય. કર્મ ભોગવવા જન્મ લેવો પડે. જન્મ થાય તો મૃત્યુ અવશ્ય આવે. આ બધું જો ટાળવું હોય તો અજ્ઞાનમાંથી મુક્ત થવું પડે. જગતના જીવો અજ્ઞાનમાંથી મુક્ત બને એવી જે ધારા અંદરમાં ચાલે તેને કહેવાય છે ભાવકરુણા. વીતરાગતાની ધારામાં તેઓ કશું કહેતા નથી અને ભાવ કરુણાની ધારામાં જ્ઞાની પુરુષો બીજાના હિત માટે કહ્યા વગર રહી શકતા નથી. ભાવ કરુણા એ ગ્રંથ રચનાનું કારણ છે. ૫.ક.દેવ એમ કહે છે કે આત્મસિદ્ધિ કહેવાનું બીજું મહત્ત્વનું કારણ એ છે કે વર્તમાનકાળ સામે જોઈએ છીએ તો ઘણી ઘણી ઘટનાઓ બની છે. ઘણા ઘણા ફેરફારો થયા છે, પણ સૌથી મોટી ઘટના, “મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ લુપ્ત થતો જાય છે.' નષ્ટ થયો નથી, પણ ઢંકાઈ ગયો છે, અવરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઓળખવો મુશ્કેલ થઈ ગયો છે. મૂળ માર્ગ ઉપર બહુ જાળા ઝાંખરા બાઝી ગયા છે. ઘાસ ઊગી ગયું છે અને ખાડા ટેકરા થઈ ચૂક્યા છે અને કેડીઓ પડી ગઈ છે. કયા રસ્તે જવું એ મૂંઝવણ થાય છે. મૂળ મારગ જડે તેમ નથી. ચોથા આરામાં (સતયુગમાં) આ માર્ગ ચોકખો હતો. આ જગત સામું જ્યારે જોઈએ છીએ ત્યારે અમારા મનમાં મંથન ચાલે છે. ૩00 વર્ષ પહેલાં આનંદધનજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં પોતાની આ વેદના પ્રગટ કરી હતી. “મત મત ભેદે રેજો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.” જુદી જુદી જગ્યાએ જઈને પૂછીએ કે અમારે મોક્ષનો મારગ જોઈએ છે તો તેઓ કહે કે અમે કહીએ તે જ મોક્ષનો માર્ગ. “જાક જાકુ પૂછીએ સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” - ત્રીજી વાત. આ ગ્રંથમાં કયો વિષય કહેવાના છો? જો તે કહો તો ગ્રંથનું માહાભ્ય, ગરિમા, શ્રેષ્ઠતા કેવી છે? આધ્યાત્મિક દર્શન કેવું છે? તે જાણી શકાય અને ચોથી વાત આના અધિકારી કોણ છે? અધિકારી વગર જો રજૂ કરાય તો સમજાય નહીં, ગેરસમજ પણ થાય, તેથી અધિકારી કોણ છે તે જણાવે છે. અમે જે વાત કરવાના છીએ તે ટોળા માટે કરવાના નથી. જે વર્ગ પાસે આ વાત થઈ શકે તેવા એક વર્ગ પાસે અમારે વાત કરવી છે. તે વર્ગને આત્માર્થી કહે છે. આત્માનું ભલુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy