SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ ઉપનિષદોમાં સાક્ષી આપી. “વ વિજ્ઞાનં સર્વ વિજ્ઞાતિ મવતિ, सर्वविज्ञातं, अकमविज्ञातं किञ्चिदपि विज्ञातं न भवति.' જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. સર્વને જાણતો હોય પણ પોતાના આત્માને જાણ્યો નથી તો બધું જાણવા છતાં તેણે કાંઈ પણ જાણ્યું નથી. દુઃખ ટાળવું છે, દુઃખી રહેવું નથી, તો શું કરવું? તમે નિર્ણય કરી ને સંતો સાથે તાલ મેળવો. તમારું ને તેઓનું ટ્યુનિંગ મળી જાય તો દુઃખ ટળી જાય. તમારું ટ્યુનિંગ દુઃખીયારા સાથે છે. કોઈ સંતો સાથે ચાલ્યા? કોઈ સંતોનું ગીત ગાયું? કોઈ સંતોના ચરણે બેઠા? સંતોએ કહ્યું છે કે આત્માને જાણ્યા સિવાય અનંત દુઃખ પામ્યા છો, તો દુઃખ ટાળવા પોતાનું સ્વરૂપ સમજો. સ્વરૂપ પોતાનું છે. અનંતકાળથી તે પોતાની પાસે છે. આત્મા ટાળ્યો ટળે તેમ નથી. આત્માને ખોવો હોય તો ખોવાય તેમ નથી. પોતે છે, પોતાનું સ્વરૂપ છે, એ આનંદમય છે. આત્મા દૂર નથી. નિકટમાં નિકટ છે. નિકટમાં છે એમ કહેવા કરતાં તમે પોતે આત્મા છો. આત્મા હોવા છતાં આત્માને આજ સુધી ઓળખ્યો નથી ને ખોળવા નીકળ્યા છીએ. બડી આશ્ચર્ય કી બાત હૈ ! આપ આપસે ભૂલ ગયે, ઈનસે ક્યા અંધેર, સમર, સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. આ વાત પોતાને નહીં સમજાય. પોતાનાથી સમજાતું હોત તો ક્યારનો ય સમજી ગયો હોત. જે પોતે છે તે પોતાને ઓળખતો નથી. જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલુ, કેમ આવે તાણ્યું. આતમતત્ત્વ વિચારીએ...(ઉપા. યશોવિજયજી મ.) આત્માનું લક્ષણ જાણ્યું નથી, તો કોણ સમજાવશે? કોઈ સમજાવનાર જોઈએ ને! જે સમજ્યા તે સમાયા, જે સમાયા તે સમજાવી શકે. તમારે સ્વરૂપ સમજવું હશે અને પીડા ઊપડશે કે હું અનંતકાળથી દુઃખી થયો છું, દુ:ખી રહ્યો છું. મારે દુ:ખમાંથી મુક્ત થવું છે માટે સ્વરૂપ સમજવું છે. કોની પાસે જવાથી સ્વરૂપ સમજાશે? કોણ સમજાવશે તે સ્વરૂપ? સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” આ ધરતી ઉપર એક કલ્પવૃક્ષ છે, એક અસ્તિત્વ છે, એક તત્ત્વ છે, એક પરમ ચેતના છે, જે એ સ્વરૂપને સમજાવે છે, તેને કહેવાય છે પુરુષ, સરુ. સદ્ગુરુ એટલે આધ્યાત્મિક સત્તા. એમની પાસે ચાવી છે. માસ્ટર કી છે. તેઓ કહેશે કે લે આ સમજણની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy