SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭ ચાવી. આ સમજીશ ત્યારે તારું અનંતકાળનું દુઃખ ટળશે. સમજાવ્યું તે પદ નમું, પછી એક શબ્દ વાપર્યો છે, “શ્રી” શ્રી એટલે લક્ષ્મી, તમે ધનતેરશે જેને ધોવો છો, જેનું પૂજન કરો છો ને કહો છો કે “ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હોજો, તેનાથી જરાય ઓછી નહીં.” તે શ્રી લક્ષ્મી નહીં, પણ જેમની પાસે કરુણાની લક્ષ્મી છે, પ્રેમની લક્ષ્મી છે, બોધની લક્ષ્મી છે, જ્ઞાનની લક્ષ્મી છે, અનુભવની લક્ષ્મી છે, વીતરાગતાની લક્ષ્મી છે, નિરપેક્ષતાની લક્ષ્મી છે, જેઓને કોઈ અપેક્ષા નથી, જેઓને કાંઈ જોઈતું નથી, કારણ તેઓને કોઈ અતૃપ્તિ નથી, એવા સદ્ગુરુ તે પદને સમજાવે છે. તે પદ એટલે આત્મપદ. જેના માટે યોગીઓ ધ્યાન ધરે છે, તપસ્વીઓ તપ કરે છે, જેના માટે રાજાઓ સંસાર છોડે છે, જેનું વર્ણન વેદો અને પુરાણો કરે છે એ પદની સરુ વાત કરે છે. તેઓનું એક જ કામ છે, તેઓ કહે છે કે આ તમારો માલ, એને ઓળખો. તેઓને આ સમજણ ક્યાંથી મળી ? આ ખજાનો ક્યાંથી મળ્યો ? એ ધન ક્યાંથી આવ્યું ? એ અમૃત ક્યાંથી આવ્યું ? ભગવંત પાસેથી આવ્યું. ભગવંત એટલે વીતરાગ પુરુષ. “નમો અરિહંતાણં.” અરિહંત પરમાત્માને નમસ્કાર હો. સદ્ગુરુ પાસે જે બોધ આવ્યો, જ્ઞાન આવ્યું તે તીર્થંકર પરમાત્મા પાસેથી આવ્યું. અહીં કેટકેટલા સમાયા? સદ્ગુરુ આવ્યા, ભગવંત આવ્યા, શાસ્ત્રો આવ્યા, બોધ આવ્યો, સમજણ આવી, જ્ઞાન આવ્યું. આત્મા આવ્યો અને કર્મમાંથી મુક્ત થવાની કળા પણ આવી. ગાથા ઉતાવળથી બોલશો નહિ, એકેક શબ્દને છૂટો પાડો. આ એક ગાથામાં આખી સાધના છે. આખા જીવનનું રહસ્ય છે. અખૂટ ખજાનો છે. આ ગાથા વાંચ્યા પછી દુઃખ રહેશે નહિ અને આનંદનો સાગર છલકાયા વગર પણ રહેશે નહિ. - સદ્ગુરુ કહે છે કે અમારી પાસે જે ખજાનો આવ્યો છે તે અમે તમારી પાસે મૂકીએ છીએ. એવો અણમોલ ખજાનો, તમારી સંપત્તિ અમે તમને આપવા આવ્યા છીએ. હું શું બોલ્યો ખબર પડી? અમે તો આપવા આવ્યા છીએ. તમે કહો છો, “ના, અમારું દુઃખ ભલે રહ્યું, આ બળતરા ભલે રહી, આ ખંજવાળ ભલે રહી, આ પીડા ભલે રહી. આ દુઃખમાંથી જો તમે મુક્ત કરશો તો અમે દુઃખ ક્યાં રડીશું! ક્યાં ગાઈશું!' જ્ઞાની પુરુષો કહે છે કે અરે, એક વખત તો દુઃખમાંથી મુક્ત બનીને જો. તું આનંદના સાગરમાં ધુબાકા કરીશ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy