SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત', આ કડી હાથમાં આવી. આ મૂળ હાથમાં આવ્યું. હવે તમને કોઈ પૂછે કે તમે દુઃખી છો તો તમે કહેજો કે “હા, અમે દુ:ખી છીએ.' પછી એમ પૂછે કેમ દુઃખી છો? તો એમ કહેજો કે આત્માને સમજ્યા વિના દુઃખી છીએ. બીજા રોદણાં ન રોશો કે વહુ બરાબર નથી કે સાસુ બરાબર નથી. ઘર બરાબર નથી, ટાઈલ્સ તૂટી ગઈ છે, ધંધો બરાબર નથી, ધંધામાં ખોટ આવી છે, શેરબજારના ભાવ ઘટી ગયા છે, આવા રોદણા ન રોશો. અનાદિકાળનો આ મોટો ગોટાળો છે. દુઃખ આપણા સ્વભાવમાં છે જ નહિ, તો પણ દુઃખનો પાર નથી. આનંદ આપણો સ્વભાવ છે પણ આનંદનો છાંટોય અનુભવી શકતા નથી, સમજવા કોશિશ કરજો, ભૂલ પકડજો કે ગરબડ ક્યાં થઈ છે ? ગોટાળો ક્યાં થયો છે? આ ગોટાળાને પકડો, આ ગોટાળો નીકળશે તો જ કામ થશે. માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે, “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” જીવને સ્વરૂપની સમજણ નથી. સ્વરૂપની સમજણ એ જ જ્ઞાન, એ જ ધર્મ, એ જ ભક્તિ અને એ જ ઉપાસના છે. આ સમજણ જીવનનો ખજાનો છે. ધર્મનો, ધ્યાનનો, ભક્તિનો, જ્ઞાનનો પ્રારંભ પણ સમજણથી થાય છે. અખો ભગત કહે છે, સમજ્યા વિનાનું સુખ નહિ જીવને રે, વસ્તુગતિ કેમ કરી ઓળખાય. આ વાત જીવ સમજતો નથી. દુઃખ ટાળવું છે? આનંદના સાગરમાં ઝબોળાવું છે? જો હા છે, તો દુઃખ ટળી શકે તેમ છે, આનંદના સાગર રેલાય તેમ છે. બધા જ્ઞાની પુરુષો કહે છે કે અનંતકાળથી દુઃખ ભલે રહ્યું, પણ અનંતકાળનું દુઃખ એક ક્ષણમાં ટાળી શકાય તેમ છે. એટલા જ માટે ઉપમિતિ ભવપ્રપંચકથામાં સિદ્ધર્ષિ ગણિએ અલંકારી ભાષામાં કહ્યું છે કે વીતરાગ પરમાત્માએ જગતમાં ઢંઢેરો બહાર પાડ્યો છે કે અનંતકાળથી દુઃખ છે પણ દુઃખ તમારા સ્વભાવમાં નથી. તેઓએ સંતોને કહ્યું કે તમે દુનિયાના ખૂણે ખૂણે જાઓ અને જગતના જીવોને કહો કે દુઃખ તમારો સ્વભાવ નથી. તેમાંથી મુક્ત બની શકાય તેમ છે.” સંતોએ એમ પણ કહ્યું કે એક દિવસ અમે પણ દુઃખી હતા, આંસુ સારી રહ્યા હતા. આજે અમારા આંસુ સુકાઈ ગયા. અમે સુખના-આનંદના સાગરમાં ડૂબકી મારી રહ્યા છીએ. શું કરવું પડ્યું ? શેનાથી આ દુઃખ ગયું ? કોઈ દોરા, ધાગા, મંત્ર, તંત્ર કે કોઈ તાવિજથી દુઃખ ગયું ? ના, સ્વરૂપની સમજણથી દુઃખ ગયું. આ સમજણ મેળવવી પડશે. આ જે સમજણ શબ્દ છે તેમાં તમામ સાધના છે. “સમજ પીછે સબ સહેલ હૈ, બિનુ સમજે મુશ્કેલ.” સ્વરૂપ કોનું? સ્વરૂપ પોતાનું અને એટલા માટે વચનામૃતના પહેલા પાના ઉપર મોટા અક્ષરોમાં લખ્યું છે કે, “જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” ‘નો એમાં નાડુ, સો સળં ગાળા’ (આચારાંગ સૂત્ર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy