SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ ‘વિવાનંવરુપ: શિવોમ્ શિવોઽમ્ ।’ अंगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ, सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा । (जैन दर्शन) હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાનમય છું, દર્શનમય છું, ચારિત્રમય છું, વીર્યમય છું, આનંદમય છું, સમતામય છું, સમાધિમય છું, નિરુપાધિક અવસ્થા મારી છે. તમે આ છો. આ શબ્દો તમારા માટે છે. બહાર જે જુઓ છો તે રૂપ, તે જડ, તે પુદ્ગલ છે. તે આનંદમય નથી. પુદ્ગલમાં શાંતિ નથી, આનંદ નથી. પુદ્ગલમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. એને વજન છે, કદ છે, આકૃતિ છે. એ ભેગા થાય છે, વિખરાઈ જાય છે. એમાં તું ક્યાં આવ્યો ? તું આનાથી જુદો છે. જેની પાસે જે ન હોય તે કદી પણ આપી શકે નહીં. ગળપણ જોઈતું હોય તો ગોળ પાસે જાઓ, ખટાશ જોઈતી હોય તો લીંબુ પાસે જાઓ, ખારાશ જોઈતી હોય તો મીઠા પાસે જાઓ, તીખાશ જોઈતી હોય તો મરચા પાસે જાઓ. મીઠા પાસે જાઓ અને ગળપણ માગો તો ન મળે, લીંબુ પાસે જાઓ અને ખારાશ માગો તો ન મળે, ગોળ પાસે જાઓ અને તીખાશ માગો તો ન મળે. જેની પાસે જે ન હોય તો તે ક્યાંથી આપે ? પુદ્ગલ એમ કહે છે કે અમારા સ્વભાવમાં સુખ નથી, તમે સુખ માગો તો અમે સુખ ક્યાંથી આપીએ ? આ વાત જીવને ક્યારે સમજાશે ? પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત. (શ્રી દેવચંદજી મ.) પુદ્ગલના અનુભવના ત્યાગથી પરમ આનંદનો અનુભવ થશે. પુદ્ગલમાં સુખ નથી, આનંદ નથી પણ આપણે આપણું બધું સુખ પુદ્ગલમાં-જડ પદાર્થોમાં માનીને બેઠા છીએ. નોટો ગણતા હોઈએ તો કેવો આનંદ ! કેવી મજા આવે છે ! હીરા માણેકના ઘરેણાં પહેરતા હો, કિંમતી વસ્ત્રો પહેરતા હો ત્યારે કેટલો આનંદ અનુભવો છો ! કેવું સરસ લાગતું હશે ! હવે કહો, ઘરેણાં કે વસ્ત્રોમાં આનંદ છે કે આરોપ કરો છો ? નવલખો હાર ગળામાં પહેર્યો હોય અને ખોવાઈ ગયો હોય તો આખી દુનિયા ફરી વળે. મારો હાર ક્યાં ગયો ? મારો હાર ક્યાં ગયો ? પહેરનારી ગાંડી થઈ જાય. પેલો હાર કહેતો હશે કે ‘મારી પહેરનારી ક્યાં ગઈ ?' હારને પડી જ નથી. મોટામાં મોટી કોઈ ભૂલ થઈ હોય તો આપણે બધા અત્યારે આપણું સુખ પુદ્ગલમાં માનીને બેઠા છીએ. જેની પાસે વધારે પુદ્ગલ તે માણસ મોટો. માણસનું માપ પુદ્ગલથી, જડથી નીકળે છે પણ માણસનું માપ સ્વરૂપથી નીકળવું જોઈએ. આનંદ એ સ્વરૂપ છે, આ જેનું સ્વરૂપ છે તે છે આત્મા. તે આત્માને પામ્યા વિના, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy