SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩ સુખ દુઃખ પરિસ્થિતિમાં નથી, બહારમાં નથી, તે અંદરમાં છે. આરોપ બહાર થાય છે. આરોપ એટલે હોય નહીં પણ માનવું. અનંત કાળથી કેમ દુઃખી છીએ? એ સમજવા કોશિશ કરજો. “જે સ્વરૂપ સમજ્યા વિના.” “જે શબ્દ છે તે મહત્ત્વનો છે. જે છે તે અસ્તિત્વહોવાપણું. લાઓત્સએ કહ્યું છે કે પરમાત્માના અનેક નામો, અનેક રૂપો હોઈ શકે છે. કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ ચૈતન્ય કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમ તત્ત્વ કહે છે, કોઈ આત્મતત્ત્વ કહે છે. જે એટલે પોતે, પોતે એટલે આત્મા. એ આત્માનું સ્વરૂપ સમજ્યા નથી તેથી અમે અનંત દુઃખ પામ્યા, સમજ્યા હોત તો દુઃખ ન પામત. જ્યારે સ્વરૂપ સમજાશે ત્યારે દુઃખ રહેશે નહીં, અને નહિ સમજાય ત્યાં સુખ દુઃખ રહેશે, એમ જ્ઞાની પુરુષો કહે છે. પાંચમું પદ આપ્યું “મોક્ષ છે.” દુઃખમાંથી મુક્ત થઈ શકાય છે. ગાથા બહુ નાની છે. સવાલ મોટો છે. અને સવાલ જેનો છે તે આત્મા સવાલથી પણ મોટો છે. તે આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે. ઘણું બધું સમજાય છે પણ દુઃખનું મૂળ કારણ આત્માનું સ્વરૂપ નથી સમજ્યા, તે સમજાતું નથી. સ્વરૂપને સમજવા નીચેના શબ્દો સમજી લઈએ: (૧) રૂપઃ જે દેખાય છે તે. આપણે જેને જોઈ શકીએ છીએ, જેને આકાર છે, વજન છે, જે દશ્ય છે, જે આપણી પકડમાં આવી શકે છે. જૈન પરંપરામાં તેના માટે પુદ્ગલ શબ્દ વપરાય છે. આ જડ જેને આપણે નજરે જોઈ શકીએ છીએ તે. (૨) અરૂપઃ એક બીજું તત્ત્વ છે અરૂપ. છે ખરું પણ તે દેખાતું નથી. આકાશ છે ખરું પણ દેખાતું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્ય છે ખરા પણ દેખાતા નથી. જે કાંઈ દેખાય છે તે આપણું રૂપ નથી, તે પુદ્ગલનું રૂપ છે. પુદ્ગલનું રૂપ જોવામાં આપણે આપણને ભૂલી ગયા છીએ. નાનું બાળક મેળામાં જાય અને તેની માતાથી વિખૂટું પડે તેમ આ જીવ પણ પુદ્ગલના રૂપને જોતાં જોતાં પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. જ્ઞાનીઓ કહે છે કે પોતાને ઓળખી લ્યો અને જાણી લ્યો.” (૩) સ્વરૂપ સ્વ એટલે પોતાનું, રૂપ; સ્વનું રૂપ એટલે આનંદ. સુખ એ સ્વરૂપ છે, સમાધિ એ સ્વરૂપ છે, જ્ઞાન એ સ્વરૂપ છે. પરમ શાંતિ એ સ્વરૂપ છે. પરમ સમતા એ સ્વરૂપ છે. વીતરાગતા એ સ્વરૂપ છે. આ તમારું સ્વરૂપ છે. તમે રૂપ નથી, તમે અરૂપ નથી, તમારું સ્વરૂપ એ તમારું પોતાનું છે. સ્વરૂપ એ રંગ નથી, આકૃતિ નથી, પણ છે. આત્મા આનંદમય છે, સુખમય છે, સમાધિમય છે, જ્ઞાનમય છે, સમતામય છે, શાંતિમય છે. લોકો એમ કહે છે કે “એવું કોઈ સ્થળ બતાવો ને કે જ્યાં શાંતિ મળે.” “ભાઈ ! સૌથી સારી જગ્યા તમારી અંદર છે, ત્યાં શાંતિ મળશે, બહાર શાંતિ નહિ મળે.” એ સ્વનું જે રૂ૫ છે તે માટે શંકારાચાર્યજીએ ગાયું: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy