SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ રહી ગયા હોય તો બીજે દિવસે સવારે જાય પણ કશું હોય નહીં. વણઝારો ચાલ્યો ગયો. એ વણઝારો જેમ ભટકતો છે તેમ જીવ પણ સંસારની ચારે ગતિમાં રખડે છે. ક્યાંય સ્થિરતા નહીં, ક્યાંય ઠરીને રહેવાનું નહીં. “ખો-ખો ની રમત જોઈ છે ને? છોકરા રમતાં હોય છે. માંડ ઓલો બેઠો હોય પાછળથી બીજો આવીને કહે “ખો'. પેલો તરત ઊભો થઈ જાય. મોત પણ આવું જ છે. દીકરા મોટા થયા, પરણ્યા, ઘરનું મકાન થયું, ઉંમર થઈ ગઈ. માંડ ઠર્યા, એમ થાય કે હવે ઠરીને આપણે રહીશું, પણ મૃત્યુ આવીને કહે “ખો'. ઊઠો, ચાલતા થાવ. ક્યાં ભરોસો છે જીવનનો ! આવી જીવનની અવસ્થા છે. કલાકે કલાકે નહિ, મિનિટે મિનિટે નહિ પણ સમયે સમયે અતુલ ખેદ છે. ખેદ એટલે પીડા, ચિંતા, ભય. આ શબ્દો ન સમજાય તો તમારો પ્રિય શબ્દ ટેન્શન, હેવી ટેન્શન. જીવો સંસારમાં જ્વરાદિ રોગ, મરણાદિ ભય અને વિયોગાદિ દુઃખને અનુભવે છે. એવો અશરણતાવાળો આ સંસાર છે, પણ આ બધાની વચ્ચે એક નાનકડો વર્ગ છે, જેની બહુમતી નથી, જેઓ અલ્પ પ્રમાણમાં છે એવા વીતરાગી પુરુષો, જ્ઞાની પુરુષો, સપુરુષો કહે છે કે અમે અનંત દુઃખમાંથી મુક્ત બન્યા છીએ. અમારા જીવનમાં દુઃખ નથી, કારણ કે દુઃખનું કારણ સ્વરૂપનું અજ્ઞાન, મિથ્યાત્વ અમે દૂર કર્યું છે. યા કારણ મિથ્યાત્વ દિયો ત્યજ, કયું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. જ્ઞાની પુરુષો કહે છે “અમારા જીવનમાં ભય નથી, દુ:ખ નથી, ચિંતા નથી, વ્યાકુળતા નથી, ડીપ્રેશન નથી. અમે આનંદના સાગરમાં ડૂળ્યા છીએ. આ અમારો અનુભવ છે.” સપુરુષને દેહ હોય, દેહમાં રોગ હોય, તેઓ પ્રતિકૂળતા વચ્ચે હોય તો પણ તેમના મનમાં દુઃખ ન હોય. તેઓ ગૃહસ્થી હોય, ગરીબ હાલતમાં હોય તો પણ દુઃખી ન હોય. આગળ ગાથા આવશે “શુદ્ધ બુદ્ધ ચેતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ.” અમે જે આત્માની વાત કહીએ છીએ એ આત્મા સુખનું ધામ છે, સુખનો સાગર છે, સુખનો ખજાનો છે. દુઃખ બહારથી આવેલું છે, આનંદ એ સ્વભાવ છે. દુઃખ એ વિભાવ છે. દુઃખ સ્વભાવમાં નથી, દેખાય છે ખરું પણ સ્વભાવ નહિ. સ્વભાવ હોય એ ત્રિકાળ હોય. ત્રિકાળ હોય તે જાય નહિ. દુઃખને ટાળી શકાય છે, દૂર કરી શકાય છે, તેમાંથી મુક્ત બની શકાય છે માટે તે સ્વભાવ નહીં. દુખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ, ધિંગો ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ, વિમલજિન દીઠા લોયણ આજ.(આનંદધનજી) ભગવાન અમે તમારા દરબારમાં આવ્યા, તમારાં લોચન જોયાં તેથી અમારા દુઃખો દૂર થયાં, દુર્ભાગ્ય દૂર થયાં, ચિંતા, પીડા દૂર થઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy