SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આત્મા છે એવું જો નક્કી થશે તો તેનું સ્વરૂપ પણ નક્કી થશે અને સ્વરૂપ જે નક્કી થશે તો તેને પ્રાપ્ત કેમ કરવો તેની સ્પષ્ટતા પણ થશે. તમામ શાસ્ત્રોએ માત્ર આત્માને જ ગાયો છે, બીજું કશું ગાયું જ નથી. શાસ્ત્રોના શબ્દ શબ્દ આત્માનું સંગીત ગૂંજે છે. આત્માનો ઝંકાર છે, આત્માની અનુભૂતિની વાત છે, આત્માનો પ્રસાદ છે, માટે એમ કહ્યું કે આત્મા કેવો છે? એનું સ્વરૂપ કેવું છે? એ પછી નક્કી કરીશું પણ પહેલી વાત “આત્મા છે', એ નક્કી થવું જોઈએ. ઊંઘમાં કોઈ પૂછે કે તું કોણ? તે વખતે પણ એમ કહે કે હું આત્મા છું. તલવાર હાથમાં લઈને આપણા ઉપર ઘા કરવાનો હોય અને તે વખતે કોઈ પૂછે કે તું કોણ છે? ત્યારે રણકાર સાથે કહે કે હું આત્મા છું; એવું સામર્થ્ય જે દિવસે પ્રાપ્ત થશે તે દિવસે સાચા અર્થમાં સાધનાની, ઉપાસનાની, ભક્તિની શરૂઆત થશે. બુદ્ધિના લેવલે આત્માનો નિર્ણય થાય તે જ્ઞાન, એટલા માટે જ શાસ્ત્રો, સત્સંગ અને સપુરુષનો યોગ. “આત્મા છે', આ નિર્ણય-નિશ્ચય કરવામાં શાસ્ત્રો સહયોગી, સત્સંગ અને સદ્ગ-સપુરુષ પણ ઉપયોગી. સપુરુષ-સદ્ગુરુ મળ્યા, શાસ્ત્રો વાંચ્યા, સિદ્ધાન્તોની ચર્ચા કરી, પણ “આત્મા છે' એવો નિર્ણય ન કર્યો તો આ બધું નિષ્ફળ જવાનું. અનંત કાળમાં આપણે પુરુષને, સદ્ગુરુને, અરે ! તીર્થકરોને પણ નિષ્ફળ બનાવ્યા છે. आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि, નૂનં રચેતસ માં વિકૃતોડસિમજ્યા. (કલ્યાણ મંદિર સ્તોત્ર) પ્રભુ ! અમે આપના સમવસરણમાં આવ્યા, બેઠા, આપની દેશના સાંભળી, પરંતુ આત્મા છે' એવો નિર્ણય કર્યા વિના બહાર આવ્યા. અમે નિર્ણય નથી કર્યો કે “આત્મા છે.' આ વાત યાદ રાખજો કે જ્યાં સુધી “આત્મા છે', એવો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ સંયોગોમાં સાધનાની શરૂઆત થઈ શકશે નહિ. કર્મકાંડથશે, ક્રિયા થશે, કર્મથશે, બાહ્ય પ્રવૃત્તિ થશે, સાધના નહિ. સાધના તો ચેતનાની અંતરંગ અવસ્થા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाच: फलं प्रीतिकरं नराणाम् ॥ ચાર મહત્ત્વનાં સાધન છે. એમાં સૌથી મહત્ત્વનું સાધન છે બુદ્ધિ. બુદ્ધિનો ઉપયોગ તત્ત્વ નિર્ણય કરવા માટે છે, તત્ત્વ વિચારણા કરવા માટે છે. કોઈને શીશામાં ઉતારવા માટે કે ચૂંટણી જીતવા માટે નથી કે કોઈને ખંખેરવા માટે નથી. આ જીવે ઘણી વિચારણા કરી પણ તત્ત્વ વિચારણા કરી નથી; બુદ્ધિ દ્વારા તત્ત્વ વિચારણા કરી, આત્માનો નિર્ણય થાય, તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy