SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧ પ્રસ્તાવના आत्माज्ञानभवं दु:खमात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञान-हीनैश्छेतुं न शक्यते ॥ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. એક પરમ ગંભીર સાગરમાં આજથી આપણે ઊતરી રહ્યા છીએ. તળાવમાં કે નદીમાં તરવું સહેલું છે, પણ ઘૂઘવાટ કરતા દરિયામાં તરવું કઠિન છે. એ માટે સામર્થ્ય-બળશક્તિ, અંદરનું વીર્ય, પુરુષાર્થ અને કૌશલ્ય પણ જોઈએ. આજથી જે સાગરમાં પ્રવેશ કરી રહ્યા છીએ એ શબ્દોનો, કલ્પનાઓનો, વિચારોનો, વિકલ્પોનો કે ભાવોનો સાગર નથી. એ સમગ્ર અસ્તિત્વનો સાગર છે. આવા અસ્તિત્વના સાગરમાં ડૂબકી મારવી, એ જીવનનો લ્હાવો છે. આ સાગરમાં ડૂબકી મારવા સાહસ, હિંમત અને અભય જોઈએ. મરણીયા થવું પડશે. જેનામાં સાહસ નથી એ અંદર ડૂબકી મારી નહિ શકે. માંહી પડ્યા તે મહા સુખ માણે દેખણહારા દાઝે રે. જેમણે સાહસ કરી ડૂબકી મારી તે મોતી લઈને બહાર આવ્યા અને કિનારે ઊભા રહી જોનારા જોતા જ રહ્યા. મોતીની કિંમત ચૂકવવા જેવું સાહસ જે કરી શકશે તે જ આત્મસિદ્ધિના સાગરમાં ઊતરી શકશે. આજથી આ ૧૪૨ ગાથા પૂરી થાય ત્યાં સુધી આપણે ઊંડા સાગરમાં ડૂબકી મારવાની છે. એ ઊંડા સાગરમાં ડૂબકી મારવા માટે પ્રચંડ સાહસ, પ્રચંડ પુરુષાર્થ, તાલાવેલી, તત્પરતા, તમન્ના, શાંત મન, વિવેક, એકાગ્રતા, સ્થિરતા જોઈએ. આ આત્મસિદ્ધિના પ્રત્યેક શબ્દમાં અનંત જ્ઞાનનો સાગર ભર્યો છે. આત્માની સિદ્ધિ જેમાં કરવામાં આવી છે એવું જે શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્માની સિદ્ધિ થાય તો જ ધર્મ હશે, તો જ ધ્યાન હશે, તો જ યોગ હશે, તો જ ભક્તિ હશે, તો જ અધ્યાત્મ હશે, તો જ સાધના હશે, તો જ સદૈવ, તો જ સદ્ગુરુ, તો જ સદ્ ધર્મ અને તો જ મોક્ષ હશે. પાયામાં આત્મા જ ન હોય તો આ બધું કોના માટે ? આ બધી સાધના અને અવસ્થા એટલા માટે છે કે આત્મા છે. જીવની અનંતકાળની જો કોઈ ભૂલ હોય તો તેણે આત્મા સાંભળ્યો છે, વાંચ્યો છે, જાણ્યો છે, પરંતુ આત્મા સત્ય છે, એવો સંપૂર્ણપણે સ્વીકાર અને અનુભવ કર્યો નથી. આત્મસિદ્ધિની સમાપ્તિમાં જો આત્મા સિદ્ધ થઈ જાય અને આત્મ-અનુભવ થઈ જાય તો આત્મસિદ્ધિનું પારાયણ સફળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy