SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ XV થાય તેને સમભાવથી વેદવું તે સમદર્શિતા છે. સમદર્શિપણું સદ્ગુરુનું એક લક્ષણ છે. તેમને જગતમાં કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર ન હોય, ધૃણા ન હોય. તેમની આંખમાંથી પ્રેમ અને કરુણા ટપકતી હોય. આ મારો અને આ પારકો છે તેવી ગણતરી જેને મટી ગઈ છે. હૃદયમાં ખુમારી અને મસ્તી આવી જાય, દીનતા, લાચારી, દ્વન્દ્ર, મૂંઝવણ બધું ચાલી જાય છે. પરભાવની ઈચ્છાથી જેઓ રહિત થયા છે તે આત્મજ્ઞાની પુરુષ છે. જેઓને શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર, નિંદા, સ્તુતિમાં સમતા છે. માન અપમાનને સમ ગણે છે. આવી સમતા જેણે જીવનમાં પ્રાપ્ત કરી છે તે સમદર્શી છે. વિચરે ઉદય પ્રયોગ:- કર્મના ઉદય પ્રમાણે જે પ્રવર્તન થાય તેને સમભાવ રાખી આચરે. જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ કે જે બીજું કંઈપણ કાર્ય થાય તે પૂર્વપ્રારબ્ધના ધક્કાથી થાય છે. તેમાં કર્તાભાવ નથી, કરવાની ઈચ્છા નથી, માનપાનની અપેક્ષા નથી, કંઈ મેળવવું કે પ્રાપ્ત કરવું નથી, હરિફાઈમાં ઉતરવું નથી, બસ સ્વરૂપમાં ઠરવું છે. બહારમાં જે કંઈપણ થાય છે તે પૂર્વના ધક્કાથી થાય છે. પૂર્વ પ્રારબ્ધના વેગથી જ્ઞાનીનું કાર્ય થાય છે, પરંતુ તેમાં કર્તબુદ્ધિ કરતો નથી, તેને વિચરે ઉદયપ્રયોગ કહેવાય. અપૂર્વવાણી - અપૂર્વ એટલે અનુભવેલી, અસરકારક અને દિલ જીતી ત્યે તેવી વાણી. જે વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દો સાંભળતાં પરમતત્ત્વ યાદ આવી જાય, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય, અજ્ઞાની કરતાં જેમની વાણી જુદી પડે છે. પરમશ્રુત - ષદર્શનના તાત્પર્યને જાણે. પ્રત્યક્ષ સદ્ગુરુ :- પરમાર્થ માર્ગને જાણવા માટે અવલંબન હોય તો તે પ્રત્યક્ષ સદગુરુ છે. એક સદ્ગુરુ હાજર હોય તો કેટલાં કામ કરશે? તે તીર્થંકરદેવને ઓળખાવશે, ભૂતકાળમાં થઈ ગયેલ જિનેશ્વરદેવને ઓળખાવશે. શાસ્ત્રમાં રહેલ શબ્દોનો મર્મ શું છે તે કહેશે. માર્ગ કેવો છે અને કયા માર્ગે જવાય તે સમજાવશે. તેઓ સ્પષ્ટ કરી કહેશે અને જરૂર પડ્યે હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર જીવતો સપુરુષ કરે છે. માટે કહ્યું છે કે “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” જિન - જિન એ જૈન પરંપરાનો શબ્દ છે. જિન એટલે જીતનાર. જિન એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy