SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ XIV શબ્દાર્થ | પુરુષાર્થનું કામ છે. ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય છે. વૈરાગ્ય :- વૈરાગ્ય એટલે જગતનાં પદાર્થો પ્રત્યેની આસક્તિ છૂટી જવી. વૈરાગ્ય એટલે રાગની મંદતા. વૈરાગ્યનું બીજ છે સમ્યક્ વિચાર. સમ્યવિચારથી જ્યારે અધ્યાસ છૂટે ત્યારે રાગ મંદ પડી જાય છે અને અંદર જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે વૈરાગ્ય. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ અને વૈરાગ્યથી થાય છે. પરંતુ ત્યાગ વૈરાગ્ય જો માનાર્થે જ થાય તો સંસારનો અંત ન આવે. ત્યાગ-વૈરાગ્યમાં અટકવાનું જો થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહિ. ત્યાગ વૈરાગ્ય વગર સદાચાર ન આવે. સદાચાર વગર અંતઃકરણ શુદ્ધ થાય નહિ. અને જો અંત:કરણ શુદ્ધ ન થાય તો આત્માનું પ્રતિબિંબ ન પડે. ગાથા - ૮ આત્માર્થી - મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન જેને રહ્યું નથી તેને કહેવાય છે આત્માર્થી. આત્માનું ભલુ થાય, મંગળ થાય, કલ્યાણ થાય, આત્મા રાગદ્વેષમાંથી મુક્ત બને, દેહ, વિકારો અને બંધનમાંથી મુક્ત બને, આત્મા આસક્તિ અને મમત્વમાંથી મુક્ત બને એવું જેના ચિત્તમાં ચિંતવન ચાલે છે તેને કહેવાય છે આત્માર્થી. આત્મ કલ્યાણ અને આત્મહિત સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન નથી તે આત્માર્થી છે. ગાથા - ૯ પરમાર્થ - મોક્ષ નિજપદ - આત્મસ્વરૂપ. આત્માનું પદ. ગાથા - ૧૦ આત્મજ્ઞાન - એટલે આત્માનો અનુભવ. શાસ્ત્રો અને શબ્દોથી પરોક્ષ અનુભવ થાય. પણ અંદરમાં જે આત્માનો અનુભવ થવો તે આત્મજ્ઞાન. જેવો આત્માનો અનુભવ થાય કે અંદર ઘટના ઘટે. અંદરની અવસ્થા બદલાઈ જાય. પછી તેને મનના રોગ એટલે અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, કામવાસના બધું ખરી પડે. સમદર્શિતા - ઉદયમાં આવેલાં પૂર્વકર્મનાં પરિણામને અનુસરી જે કંઈપણ સુખદુઃખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy