SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ XIII ગાથા - ૪ અંતરભેદઃ- અંતર ભેદાવું, મર્મ સમજવો, અંતઃકરણની શુદ્ધિ થવી. જ્ઞાનમાર્ગ - સતુ શાસ્ત્રથી માંડી સતપુરુષના ચરણમાં સમર્પણ થાય તે તમામ જ્ઞાન માર્ગ છે. ગાથા - ૫ બંધ મોક્ષ છે કલ્પના - આત્મા કર્મથી બંધાયેલો છે તે બંધદશા છે, અને આત્મા કર્મથી મુક્ત છે તે મોક્ષદશા છે. આ પ્રકારની આત્માની કોઈ દશા જ નથી, આમ આત્માને બંધ મોક્ષ રહિત માનવો. બંધ મોક્ષ રહિત કલ્પના કરવી. મોહાવેશઃ- મોહના પ્રભાવમાં, અજ્ઞાનના પ્રભાવમાં વર્તવું. ગાથા - ૬ વૈરાગ્ય :- જગતનાં પદાર્થો પ્રત્યે આસક્તિ છૂટી જવી. વૈરાગ્ય એટલે રાગની મંદતા. જેનાથી અંત:કરણ નિર્મળ થાય તેને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય અને ત્યાગ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. આત્મજ્ઞાન - આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે આત્મજ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. આત્માને જ જ્ઞેય બનાવે તેવું જ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં પરિબળો વૈરાગ્ય, ત્યાગ અને અંતરંગ અવસ્થા. આત્મજ્ઞાન થયા સિવાય ભવનું મૂળ છેદી શકાતું નથી. આત્મજ્ઞાન એટલે સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, સ્વનું અને નિજનું જ્ઞાન. ગાથા - ૭ ત્યાગ:- બાહ્ય પદાર્થો છોડવા તેનું નામ ત્યાગ કહેવાય, પણ વિશેષ અર્થ એ છે કે વસ્તુ તો છોડવી પણ તે વસ્તુ તરફની આસક્તિ છોડવી તે ખરો ત્યાગ છે. પરમાર્થિક દૃષ્ટિએ બાહ્ય પદાર્થોની સાથે અધ્યાસ હોવાથી પોતે પોતાને ભૂલી ગયો છે. તે તાદાભ્ય અધ્યાસથી નિવૃત્ત થવું તેને કહેવાય છે ત્યાગ. બાહ્ય ત્યાગ એટલે પદાર્થનો અને વસ્તુઓનો ત્યાગ અને અત્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ. એ બંને મળી જે ઘટના ઘટે છે તેને વીતરાગ પરમાત્મા ત્યાગ કહે છે. આસક્તિનો ત્યાગ કરવો તે પરમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy