SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ XII શબ્દાર્થ વિચાર:- વિચાર ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મનો પ્રારંભ વિચારથી થાય. તત્ત્વ વિચારથી ધર્મ આવશે, ધ્યાન થશે, વિચારથી જ સાધના અને વિચારમાંથી જ ઉપાસના થશે. તત્ત્વ વિચારથી સમજણ પ્રાપ્ત થાય અને ત્યાર પછી જ આચરણ થાય. અગોપ્યઃ- છૂપાવ્યા વિના. ગાથા - ૩ ક્રિયાજડ:- આત્મ શુદ્ધિનું લક્ષ ન હોવાથી ચિત્તશોધન કરતો નથી અને વગર વિચાર્યું ક્રિયાઓ કર્યે જાય છે તેને કહેવાય છે ક્રિયાજડ. આ ક્રિયા કરવાથી મારી કેટલી આંતરિક શુદ્ધિ થઈ? મારો ક્રોધ કેટલો ઓછો થયો? મારામાં આત્મજાગૃતિ આવી? આમ વિચાર વગરની ક્રિયા કરે તે ક્રિયાજડ. આમ અંતર તપાસ વગર ઢગલાબંધ ક્રિયાઓ કરે, જે બાહ્યમાર્ગમાં રાચે અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે, જેનું અંતર ભેદાયું નથી તેને જ્ઞાની ક્રિયાનડ કહે છે. શુષ્કજ્ઞાની - જે ધ્રુવના પડખેથી જ આત્માને જોવે છે, અને વાત કરે છે. આત્મા નિત્ય છે, મુક્ત છે, બંધાયેલો નથી, આત્મા દુઃખી થતો નથી, ખાતો પીતો નથી, વિકાર કરતો નથી. તે પર્યાયનું (અવસ્થાનું) પડખું ભૂલી જાય છે. જોવા જેવી તો વર્તમાન અવસ્થા છે. વર્તમાન અવસ્થા અશુદ્ધ હશે તો દ્રવ્ય ભલે જ્ઞાન આનંદથી ભરેલું. હોય પણ અનુભવ નહિ થાય. ત્રિકાળી દ્રવ્ય તરફ, નિશ્ચય તરફ નજર ગઈ પણ વ્યવહારમાં વર્તમાન તરફ નજર જતી નથી. પોતાની અશુદ્ધિ લક્ષમાં લેતો નથી અને તેની શુદ્ધિ માટે સાધના કરતો નથી. સ્વચ્છંદમાં જીવે છે, મોહના આવેશમાં વર્તે છે અને પોતાને જ્ઞાની કહેવડાવે છે. પરમકૃપાળુદેવ તેને શુષ્કજ્ઞાની કહે છે. સૌથી વધારે જોખમ શુષ્કજ્ઞાનીનું છે. તે પોતાને નુકસાન કરે છે અને હજારો લોકોને જોખમ પહોંચાડે છે. શાસ્ત્રો વાંચે છે, ઉપદેશ આપે છે પણ મોહાવેશમાં રહે છે, માન પ્રતિષ્ઠા જોઈએ છે. જ્ઞાનાવરણીય કર્મનો પ્રચંડ ક્ષયોપશમ છે પણ મોહનીયકર્મમાં રાચે છે. આ શુષ્કજ્ઞાનીનું કામ છે. આચરણ વગરનું લુખ્ખ અને કોરું જ્ઞાન જેની પાસે છે તે શુષ્કજ્ઞાની છે. ક્રિયાજડ ઓળખી શકાય પણ શુષ્કજ્ઞાનીને ઓળખવો મુશ્કેલ છે. ત્યાગ વૈરાગ્ય રહિત છે. વાણીથી બોલે પણ તથારૂપ દશા નથી. આ શુષ્કજ્ઞાનીનાં લક્ષણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy