SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ XI શબ્દાર્થ સંકલનકર્તા શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા ગાથા - ૧ સ્વરૂપ - સ્વ એટલે પોતાનું રૂપ એટલે ઓળખાણ, પરિચય. આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વરૂપ એટલે હું શુદ્ધ છું, હું એક છું. હું જ્ઞાનદર્શનમય છું, હું અરૂપી છું અને જ્ઞાન ગમ્ય છું. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છું. અનંતઃ-જેનો અંત નથી, અને અનાદિકાળથી ચાલ્યું આવે છે તે. અનાદિકાળથી ચાલ્યા કરે છે તેવું. પદ-આત્મપદ. સદ્ગુરુ - સ્વરૂપને સમજાવનાર આધ્યાત્મિક સત્તા, તેમને કહેવાય છે સત્પુરુષ અથવા સદ્ગુરુ. જેમની પાસે જ્ઞાનની લક્ષ્મી છે, પ્રેમની, સમતાની, કરુણાની, બોધની, વીતરાગતાની, નિસ્પૃહતાની લક્ષ્મી છે, અને જે તમારા સુખ અને આનંદનો ખજાનો તમને ઓળખાવી તમારા હાથમાં સોપે, છતાં કશી અપેક્ષા રાખે નહિ તેને કહેવાય છે સગુરુ. સદ્દગુરુને આત્માનુભવ નિત્ય આચરણમાં વર્તે છે. સમજણ - જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તે સમજણ. ઉપયોગ અન્ય વિકલ્પોથી રહિત થાય તે સમજણ. ભગવંતઃ- એટલે વીતરાગ પુરુષ. ગાથા - ૨ મોક્ષમાર્ગ:- આત્મ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી તેમાં સ્થિર થવું, તે મોક્ષમાર્ગ છે. લોપ -અદશ્ય. આત્માર્થી:- “આત્મા રાગ દ્વેષ અને કષાયોમાંથી કેમ મુક્ત બને ?' એવું જેના ચિત્તમાં સતત ચિંતવન ચાલી રહ્યું છે અને આત્મહિત અને આત્મકલ્યાણ સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન જ નથી તેને કહેવાય આત્માર્થી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy