SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ XVI શબ્દાર્થ Oબમ હંમેશ માટે જેણે રાગદ્વેષ જીતી લીધાં છે, તેને કહેવાય છે જિન. અરિહંત કહો, વીતરાગ કહો કે જિન કહો-એકાર્થી છે. સદ્ગુરુનું કામ વીતરાગ પુરુષ જિનેશ્વરને સમજાવવાનું છે. જિન સામે જોઈ આપણી ઓળખાણ થાય. ગાથા - ૧૨ જિનરૂપ:- સદ્ગુરુના ઉપદેશથી જિન સ્વરૂપ સમજાય છે. જિન સ્વરૂપ એટલે જિન ભગવંતની ઓળખાણ, પરિચય. આપણી ઓળખાણ જો કરવી હોય તો જિનેશ્વરને ઓળખવા પડશે. વીતરાગ સામે જોઈને આપણા આત્માની ઓળખાણ થાય. જ્ઞાની પુરુષ, સદ્ગુરુ કહે છે કે તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. તું અમારા જેવો અને વીતરાગ જેવો છો. આવો ઉપદેશ સદ્ગુરુ પાસેથી મળે છે, ત્યારે જિનેશ્વરનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. અને જિનનું સ્વરૂપ સમજે તો પોતાનો આત્મા પરિણામે જિનદશાને પામે. ગાથા - ૧૩ નિરૂપક:- નિરૂપણ કરનારાં. શાસ્ત્ર - આપ્ત પુરુષોના વચનનો સંગ્રહ જેમાં થયેલ છે તેને કહેવાય છે. શાસ્ત્ર. હિત શિક્ષા સમજાવી, સંસારથી આત્માનું જે રક્ષણ કરે છે તેને કહેવાય છે. શાસ્ત્ર. આત્માનું શોધન કરવા માટે શાસ્ત્રો છે. ગાથા - ૧૪ અવગાહન - વારંવાર વિચારણા કરવી, ચિંતન કરવું. મતાંતર:-મતાંતર એટલે મતભેદ. જીવ મતભેદોને કારણે આગળ વધી શકતો નથી. માન અને મતભેદ એ માર્ગ પામવામાં આડાં સ્તંભરૂપ છે. ગચ્છનાં મતમતાંતર, ઘણી જ નજીવી બાબતોમાં આગ્રહ કરાવી જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થાય છે. જે આ દોષમાંથી મુક્ત ન થાય તે જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. ગાથા - ૧૫ સ્વછંદ - જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy