SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ સળી વડે જેના કાન વિંધાએલા નથી તે મનુષ્ય, મનુષ્ય નામ ધરાવવા લાયક જ નથી. તેનો જન્મનિરર્થક છે. જ્યાં સુધી કાન મળતાં નથી, ત્યાં સુધી મોક્ષ નહિ મળે.' આ કેવી વાત તમે કરો છો? પરંતુ એ વાત એક રીતે સાચી છે. મોક્ષ મેળવવા માટે મોહ જવો જોઈએ અને મોહ જવા માટે જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન થવા સુવિચારણા થવી જોઈએ. સુવિચારણા માટે બોધ પ્રાપ્ત થવો જોઈએ. બોધ પ્રાપ્ત થવા માટે ગુરુ જોઈએ. સદ્દગુરુ પાસેથી શ્રવણ કરવું જોઈએ. કાન વગર શ્રવણ શેનાથી કરશો? આ કાનનું મહત્ત્વ હવે સમજાયું? “ત્યાં પ્રગટ નિજજ્ઞાન.” નિજજ્ઞાન પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન, પોતે જે છે તેનું જ્ઞાન. એ જ્ઞાનથી તેને ખબર પડી કે હું કોણ છું? સાચી ખબર પડી. વાસ્તવિક, સનાતન સત્ય એની પાસે આવ્યું કે હું આ છું. નિજજ્ઞાન શું કામ કરે? તે બીજાને પ્રવચન આપે? કહેવા જાય? કરે શું? જે જ્ઞાન પ્રાપ્ત થયું તે કાર્યકારી છે. જ્ઞાનમાં ક્ષમતા છે, જ્ઞાન પરિણામ લાવશે. તમે સાકર ખાવ તો શું થાય? મોટું ગળ્યું થાય. મરચાં ખાવ તો મોમાં તીખાશ લાગે. લીમડો ખાવ તો કડવાશ અને લીંબુ ખાવ તો ખટાશ લાગે. કંઈક થાય તો ખરું ને? તેમ જ્ઞાન થાય તો શું થાય? જ્ઞાન કોને કહેવાય તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદનિર્વાણ.' એ જ્ઞાન મોહનો ક્ષય કરે છે. મોહનો ક્ષય કર્યા વગર જ્ઞાન રહેતું નથી. જ્ઞાન આવે એટલે મોહ એમ કહે છે કે અનંતકાળથી રહ્યો, તમે મને રાખ્યો, ધન્યવાદ. હવે જ્ઞાન આવ્યું છે, એટલે હું નહિ રહી શકું. જ્ઞાનને ટાળો તો રહું. તે વખતે તમારે હિંમત કરીને કહી દેવું પડશે કે હવે તમે જઈ શકો છો. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, મોહ રહેશે નહીં. આનંદઘનજીએ એક મઝાનું પદ કીધું છે... અવધૂ, વૈરાગ્ય બેટા જાયા, વાને ખોજ કુટુંબ સબ ખાયા, દુર્મતિ દાદી, મત્સર દાદા, મુખ દેખત હી મૂઆ. અમારે ત્યાં વૈરાગ્ય નામનો દીકરો જનમ્યો છે, અને જન્મતાની સાથે જ એ આખા મોહના કુટુંબને શોધીને ખાઈ ગયો. વૈરાગ્ય કરતાં જ્ઞાનની ક્ષમતા વધારે છે. વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન થકી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એવું કામ કરે છે કે મોહરૂપી કુટુંબ ખવાઈ જાય છે, નાશ પામે છે. આ દુર્મતિ દાદી અને મત્સર દાદા એમણે વૈરાગ્યનું મોટું જોયું કે ખતમ થઈ ગયા. વૈરાગ્ય થાય ત્યારે મોહનું કુટુંબ નાશ પામે, માટે જ કહ્યું કે જ્ઞાન મોહનો ક્ષય કર્યા વગર રહે નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy