SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મસુખની અનુભૂતિ થઈ. સુવિચાર દ્વારા એને આત્માનો સંકેત મળ્યો, અને સંકેત મળે એટલે શું થાય? બીના શું બને? પરિણામ શું આવે? ઘટના શું ઘટે ? “ત્યાં પ્રગટે નિજજ્ઞાન. અદ્ભુત શબ્દ આવ્યો. પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાના હોવાપણાનું જ્ઞાન. જેને માટે જ્ઞાનીઓએ આત્મા શબ્દ આપ્યો તેનું જ્ઞાન. જે આત્મા તમે છો તેનું જ્ઞાન, તે નિજ જ્ઞાન. ભેદજ્ઞાન ત્યાં પ્રગટ્યું. આ જ્ઞાન અંદરથી આવ્યું. વાંચીને, સાંભળીને કે શબ્દથી નહીં, બહારથી નહીં પણ અંદરથી પ્રવાહ આવ્યો. કૂવો ખોદતાં ખોદતાં છેલ્લો પત્થર તૂટે અને ૪૦ હજાર ગેલન પાણીનો ધોધ આવે તે પાણી પોતાનું, અને ટાંકામાં પાણી હોય છે તે બહારથી નાખેલું છે. વાંચેલું જ્ઞાન તે બહારનું, ટાંકામાં બહારથી ભરેલું હોય તેવું જ્ઞાન અને કૂવાની જેમ અંદરથી પ્રગટ થયેલું તે અંદરથી અનુભવેલું જ્ઞાન છે, એ આપણી પોતાની મિલકત છે, એ આપણી સામગ્રી છે, એ આપણો વૈભવ છે. એ વૈભવમાં તમને જણાશે કે ચૈતન્યતત્ત્વ આવું હોય. અમે ગમે તેટલી વાત કરીશું તો અણસાર નહીં આવે, પરંતુ નિજ જ્ઞાન થશે તો અણસાર આવશે. પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,’ એ સ્વરૂપ. સ્વ એટલે પોતાનું રૂપ. ત્યાં સ્વરૂપ શબ્દ વાપર્યો, અહીં શબ્દ વાપર્યો નિજજ્ઞાન, પોતાનું જ્ઞાન. આ બન્ને શબ્દો એક જ વાતને સ્પષ્ટ કરનારા છે. એક તો છે રૂપ, જે આ દેખાય છે ને? એ જોવામાં મોટે ભાગે જીવો રોકાયેલા છે. એ રૂપને જોવામાં તમે ગુંથાયેલા છો માટે આ સ્વરૂપને જોઈ શકતાં નથી. જ્ઞાની કહે છે કે એક વખત રૂપ ઉપરથી તારી દષ્ટિ હટાવી લે, તો એ દષ્ટિ અંદર જઈ શકે, અંતર્મુખ થઈ શકે. અંદરમાં દૃષ્ટિ જાય તો તેનો અનુભવ થશે. બીજું છે અરૂપ. આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અરૂપ છે, એ અરૂપ પણ તું નહિ. એક રૂપ, બીજું અરૂપ અને ત્રીજું છે સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતે, ચૈતન્ય તત્ત્વ તેનું રૂપ. “સ્વરૂપને સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો.” ૪૧મી ગાથામાં પરમકૃપાળુદેવે કહ્યું, હવે તમારું દુઃખ ગયું. કેમ ગયું? કારણ નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાન અંદરથી આવે છે. બહારથી આવતું નથી. જે જ્ઞાન બહારથી આવે છે તેને શ્રુતજ્ઞાન કહે છે, તેને શાસ્ત્રજ્ઞાન કહે છે. શાસ્ત્રજ્ઞાન પૂજ્ય છે, ઉપયોગી છે, જરૂરી છે, પરંતુ બોધ તો સદ્ગુરુના મુખેથી જ પ્રાપ્ત થશે. બોધ વાંચીને પ્રાપ્ત ન થાય. વાંચીને જ્ઞાન થશે પરંતુ બોધ માટે સદ્ગુરુનું મુખ અને તમારા કાન તથા હૈયું જોઈશે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે વિદ્ધ યો યોગ, ફત્યક્ષરશીયા (યોગશાસ્ત્ર ૧/૧૭) “યોગ' એવા અક્ષરોરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy