SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ શકે નહિ, આત્માનો અનુભવ જે વખતે થશે તે વખતે અનુભવ કરનાર પોતે હશે. આત્મા દ્વારા અનુભવ થશે અને આત્મા જ અનુભવ કરશે. માત્મચેવાત્મના તુ: સ્થિતપ્રજ્ઞસ્તોવ્યતા (ભ.ગીતા ૨/૫૫) આત્મા, આત્મા વડે આત્માનો અનુભવ કરે છે. એ અનુભવ વખતે કોઈની જરૂર નથી. કબીરજી સાદી ભાષામાં કહે છે કે “કુન્દા કુન્દન મિત્ર તો ફિક્કી પર ચર્ફ રીત.” લગ્ન થઈ ગયા પછી જાનૈયાનું શું કામ છે? શાસ્ત્રો, સિદ્ધાંતો, સૂત્રો, અનુષ્ઠાનો, આ બધા જાનૈયા છે. આત્માનો સ્વાનુભવ થઈ ગયો, આત્મા આત્માને મળી ગયો પછી આ કશાની જરૂર નથી. અંદરમાં પ્રક્રિયા અથવા બીના શું બને છે? તેની આપણને ખબર પડતી નથી. ગાય ચારો ખાય છે, દૂધ બનવાની પ્રક્રિયા કેમ થાય છે તે આપણને ખબર પડતી નથી. દૂધના પ્રોસેસમાંથી દહીં થાય. દૂધ મીઠું અને દહીં ખાટું. આ દૂધમાંથી દહીં થયું અને દહીંના કણકણમાં માખણના કણ ભળેલાં છે, અને એ પણ ખબર નથી કે માખણનાં કણમાં ઘી છૂપાયેલું છે. આ દૂધનો ક્રમિક વિકાસ થયો. જેમ આ વિકાસ થાય તેમ ચેતનાનો અંતરંગ વિકાસ થાય છે. પ્રજ્ઞા સૂક્ષ્મપણે તત્ત્વનો વિચાર કરે છે. આવો તત્ત્વ વિચાર કરવો હોય તો જીવાત્મા પાસે સામગ્રી આવવી જોઈએ. વિચાર કરવા માટેની જે સામગ્રી છે તેને કહેવાય છે બોધ. એક મોટી મુશ્કેલી એ છે કે વિચાર કરવાની ક્ષમતા હોય અને સામગ્રી જો ખોટી હોય તો આખી વિચાર કરવાની પ્રક્રિયા ખોટી થાય. જગતમાં ઘણાં દર્શનો અને ધર્મો છે, સંપ્રદાયો, મતો અને માન્યતાઓ છે. આ લોકોએ વિચાર તો ઘણો કર્યો, પણ સામગ્રી હતી તે યથાર્થ નથી, સમ્યફ નથી, સાચી નથી. તો એવી સામગ્રી ક્યાંથી મળે? જગતમાં એક જ વ્યક્તિ છે અને તે છે સદ્દગુરુ. સદ્દગુરુ પાસે સામગ્રી છે, એ માત્ર શાસ્ત્રના આધારથી વાત નથી કરતાં પરંતુ તેઓ અનુભવના બળથી વાત કરે છે. સદ્ગુરુ તર્કથી વાત નથી કરતાં પરંતુ શ્રદ્ધાથી વાત કરે છે. સદૂગુરુ એ છે કે જેનાં જીવનમાં અજ્ઞાન નથી, અસત્ય નથી, મોહ નથી અને જૂઠું કહેવાનું જેમને કોઈપણ કારણ નથી. એવા સદ્દગુરુ પાસેથી બોધ પ્રાપ્ત થાય, અને બોધ પ્રાપ્ત તો થાય જો જોગ બને તો. જોગ તો થાય જો યોગ્યતા આવે, અને યોગ્યતા તો પ્રાપ્ત થાય જો આ ચાર સાધનો જીવનમાં પ્રાપ્ત કરે. પુનરાવૃત્તિ કરીને, કષાયની ઉપશાંતતા આદિ ચાર કારણોથી આત્માર્થી બને, તે યોગ્યતાથી સદૂગુરુનો જોગ પ્રાપ્ત થાય. અને જોગ પ્રાપ્ત થાય તો એને બોધની સામગ્રી મળે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy