SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૫ આપણે જાણવું છે તો ત્યાં સ્થૂળબુદ્ધિ કામમાં આવતી નથી. જેમ ચપ્પની ધાર કાઢવામાં આવે છે તેમ બુદ્ધિની પણ ધાર કાઢવી પડે. બુદ્ધિની ધાર એવી તીક્ષ્ણ કરે કે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. એ બુદ્ધિની ધાર કાઢવાના, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા, જન્મ મરણનો ખેદ અને જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે અંતરદયા-પ્રેમ કરુણા', આ ચાર ઉપાયો છે. પ્રેમ અને કરુણા વગેરેથી બુદ્ધિ ધારદાર બને છે, સૂક્ષ્મ બને છે, અને સૂક્ષ્મ બુદ્ધિ જ પરમાર્થ માર્ગનું ચિંતન અને વિચાર કરી શકે છે. बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च। સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સંજ્ઞી પંચેન્દ્રિયપણું ભૌતિક અવસ્થા છે. એ બહારની અવસ્થા છે. સમ્યગુદર્શન આધ્યાત્મિક અવસ્થા છે, આંતરિક ઘટના છે માત્ર પાંચ ઈદ્રિયો મળે તો પણ કામ ન થાય, પાંચ ઈન્દ્રિયો સાથે મન હોય તો જ કામ થાય. મન જેને મળ્યું તેને કહેવાય છે સંજ્ઞી. ચાલુ મન નહીં, વિચાર કરતું મન નહીં, વાસનાગ્રસ્ત મન નહીં, પરંતુ જે મનને બુદ્ધિમાં પરિવર્તિત કરેલ છે અને જે બુદ્ધિને તીવ્ર બનાવવામાં આવી છે, એવી બુદ્ધિમાંથી બનતી પ્રજ્ઞા જોઈએ. सद्धाओ मेहाओ धिई, धारणाओ, अणुप्पेहाओ, वड्डमाणीओ ठामि काउस्सगं । કાઉસ્સગ્ન કરતાં પહેલાં સાધકો ઉપરના શબ્દો બોલતાં હોય છે. શ્રદ્ધા પછી પ્રજ્ઞા, આ અદ્ભુત તત્ત્વ છે. પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું કે પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થયા પછી, એને પરમ તત્ત્વના દર્શન થશે, તે પહેલાં નહીં થાય. પ્રજ્ઞા એટલે સૂક્ષ્મ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક અતીન્દ્રિય જે તત્ત્વ તેનો અણસાર પકડવાની શક્તિ, તેનું ચિંતન કરવાની શક્તિ, એનો વિચાર કરવાની શક્તિ. શેનો વિચાર કરશો? વિચાર કરવાની સામગ્રી આપણને મળવી જોઈએ. સદ્ગનો બોધ વિચાર કરવાની સામગ્રી પૂરી પાડે છે. મન મળ્યું, સંજ્ઞી પંચેન્દ્રિય બન્યો. મનમાંથી બુદ્ધિ તૈયાર થઈ. બુદ્ધિમાંથી પ્રજ્ઞા તૈયાર થઈ અને એ પ્રજ્ઞા સૂક્ષ્મ ચિંતન કરવા સક્ષમ બની. સૂક્ષ્મ ચિંતન એટલે અતીન્દ્રિય તત્ત્વમાં ડૂબકી મારી શકાય તેવું ચિંતન. ઈશ્વર કે આત્મા વિષે ચર્ચા કરશો તો એ હાથમાં નહીં આવે, કારણ કે તેને આકાર જ નથી. આપણે આકારથી ટેવાયેલા છીએ. આપણી ઈન્દ્રિયો અને મન આકારને જોનારું છે. નિરાકારમાં મન જઈ શકતું નથી, પરંતુ નિરાકાર તરફ મન જ્યાં સુધી જાય ત્યાં સુધી તેને લઈ જવું છે, અને નિરાકારનો સંકેત લઈને એ મને આવે તો આપણી સાધનાની શરૂઆત થાય, તત્ત્વનો અણસાર મળે, ઈશારો મળે, આ તત્ત્વ છે તેને ગ્રહણ કરનારી પ્રજ્ઞા આપણી પાસે જોઈએ. જો કે પ્રજ્ઞા આત્માનું દર્શન કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy