SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ४०७ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બોધની સામગ્રી મળે અને પ્રજ્ઞા હોય તો તત્ત્વવિચાર થાય, ગંભીર અને પારમાર્થિક વિચાર થાય અને પારમાર્થિક વિચાર જો થાય તો તેમાંથી માર્ગ મળે, અને ત્યારે એમ કહેવાય કે સદ્ગુરુનો બોધ તેમાં પરિણમ્યો. પરિણમે એટલે કાર્યકારી બને, તેનું પરિણામ અથવા ફળ મળે. શાસ્ત્રો એમ કહે છે કે તારી યોગ્યતા નહિ હોય તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. સાધકમાં જ્યારે યોગ્યતા આવે છે ત્યારે ક્રમિક વિકાસ થતાં વસ્તુ પ્રાપ્ત થાય છે. આ બધી ૩૮-૩૯-૪૦ગાથાઓ અંદર અંદર સંકળાયેલી છે. સ્પષ્ટપણે કહ્યું કે ૩૦મી ગાથામાં જે વર્ણન કર્યું છે તે દશા છે, અવસ્થા છે, અને તે ભૂમિકા છે. શનિની દશા, રાહુની દશા, કેતુની દશા કરતાં આપણામાં મોહ જે બેઠો છે તેની મોટી દશા છે. તેના કારણે સંસાર ઊભો છે. જ્યાં સુધી એવી અવસ્થા પ્રાપ્ત ન થાય, યોગ્યતા ન આવે, લાયકાત ન આવે, અંદરની ભૂમિકા તૈયાર ન થાય તો આ આત્મા સદ્દગુરુનો જોગ પ્રાપ્ત કરી શકતો નથી. ૩૯મી ગાથામાં કૃપાળુદેવે બધા જ વાંધા નકારી કાઢ્યાં છે. સદ્ગુરુ હરકાળ અને હરક્ષેત્રમાં છે. જોગ નથી થતો એટલે જોડાણ થતું નથી. જોડાણ ન થવાનું કારણ તમારી પોતાની યોગ્યતા કે પાત્રતા નથી. સદ્ગુરુ કેવાં છે તે જોવાના બદલે તમારે તમારામાં કામ કિરવાનું છે. આ ઠીક છે, આ ઠીક નથી, તે બધું જોવાં કરતાં પોતાની અંદર કાર્ય થવું જોઈએ. “તારામાં કામ જો તું કરીશ તો સદ્ગુરુ અવશ્ય પ્રાપ્ત થશે. પરમકૃપાળુદેવે કહ્યું કે જીવ લહે નહીં જોગ” એટલે કે તમે ગમે તેટલી તપાસ કે તલાશ કરો પરંતુ જો તમારી લાયકાત નહીં હોય તો જોગ નહીં થાય. લાયકાત હશે તો સદ્ગુરુ સામે ચાલીને આવશે. જગતમાં હંમેશા સક્ષમતાની, યોગ્યતાની, સામર્થ્યની તપાસ થાય છે. તમે તમારા ઉપર મહેનત કરો, તમારું ઘડતર કરો. પત્થરને ઘડાવું છે પણ તે આરસપહાણનો જોઈએ. ભૂખરો પત્થર ભાંગી જશે. ટાંકણા ખમી શકે તેવો પત્થર આરસપહાણનો છે, તેમ સદ્ગનો બોધ પચાવી શકે તેવો યોગ્ય જીવ જોઈએ, કારણ કે આ તો આંતરિક ઘટનાની વાત છે. જોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેને બોધ પ્રાપ્ત થાય, અને બોધ એ આધ્યાત્મિક ક્ષેત્રમાં કાચી સામગ્રી છે. શાસ્ત્રની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે તે “સતુ' “સન્શાસ્ત્ર' જ્ઞાનની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે, “સમ્ય”. સમ્યજ્ઞાન, યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન. સામગ્રી પણ યોગ્ય જોઈએ. શીરો બનાવવો હોય તો શીરા માટે કાચી વસ્તુ તેને અનુકૂળ હોવી જોઈએ. ગોળ, ઘી, લોટ, એ શીરા માટેની કાચી સામગ્રી છે. બોધ સદ્ગુરુ મળે તો પ્રાપ્ત થાય અને એ બોધ પરિણમવો જોઈએ એટલે બોધે અંદરમાં કામ કરવું જોઈએ. પ્રાપ્ત થયેલા બોધને અંદરમાં કામ કરવા દેવો તે સાધકની સૌથી મોટી સાધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy