SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ વેચવા તૈયાર થઈ જાય છે, તેને કહેવાય છે નિયાણ. એટલા માટે કહ્યું કે, “માત્ર મોક્ષ અભિલાષ”, આ મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નહિ. ત્રીજી વાત, ભવખેદ. આ ખેદ શબ્દ સમજી લો. ખેદ એટલે કંટાળો કે નિરાશા નહીં. વ્યવહારમાં આપણે કહીએ છીએ કે મને બહુ ખેદ થાય છે, એટલે દુઃખ થાય છે. સંસારનો ખેદ કરવાનો નથી, પણ સંસારમાં જે જન્મમરણ અનેક વાર કરવા પડે છે તે જન્મમરણ હવે ટાળવાં છે. તે ટાળવા માટે શબ્દ વાપર્યો ખેદ. ચિદાનંદજી મહારાજે તો કહ્યું કે... લાખ ચોર્યાશી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, બિન સમકિત સુધારસ ચાખ્યો, ગિણતી કોઉ ન ગિણાયો, મૂરખ! વિરથા જન્મ ગમાયો. આવો સંસાર, આવા જન્મ મરણ હવે ટાળવાં છે. નવાં નવાં જન્મો લેવાં પડે તો તેનું દુઃખ થાય છે કે અમે ક્યાં સુધી આ ભવોમાં અટવાયેલાં રહીશું?. ક્યારે આ બંધનથી છૂટકારો થશે? ચોથી મહત્ત્વની વાત પ્રાણી દયા. તમે ધરતી ઉપર રહેવાનાં છો, અનેક પ્રાણીઓ સાથે રહેવાનાં છો. તો કઈ રીતે રહેવું? જ્ઞાની પુરુષો કહે છે કે પ્રેમ, કરુણા, દયા, વાત્સલ્ય અને સ્નેહ ભાવપૂર્વક જીવવું. આ ભાવોથી હૃદય મુલાયમ અને કોમળ બને છે. આવી મુલાયમતા જો જીવનમાં પ્રસરી જાય તો જગતનાં પ્રાણીઓ સાથે કલેશ ન થાય. વેર, વિરોધ વૈમનસ્ય ન થાય. મોં ચડે નહીં, કોઈની સાથે તિરસ્કાર ન થાય, અણગમાના ભાવો ઊભા ન થાય. પ્રેમ, કરુણા, શાંતિ, મુલાયમતા અને કોમળતાથી જીવન જીવવું છે. આ પ્રયોગ ઘરથી ચાલુ કરવો. પહેલો સગો પાડોશી. તમે તુરત જ કહેશો કે “બીજી બધી વાત કરો, પણ પાડોશીની વાત ન કરશો”, તો પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ, કરુણા, સદ્ભાવ કઈ રીતે રહેશે? જાતજાતની પ્રકૃતિવાળા માણસો સાથે આપણે રહેવાનું છે. જાતજાતની વૃત્તિઓ, જાતજાતનાં ઢાંચાં અને નમૂનાઓ છે. આ બધાની વચ્ચે આપણે રહેવાનું થાય તો, એ વખતે આપણા તરફથી આપણો જે અભિગમ છે અને આપણાં જે રીલેશન, સંબંધો છે, એ પ્રેમમય, શાંત, મધુર, સ્વસ્થ, સ્નેહમય હોવા જોઈએ, પણ અંદરમાં અકળામણ, અણગમો અને તિરસ્કાર ન જોઈએ. આ ચોથું પરિબળ સાધક માટે અત્યંત જરૂરી છે. કષાયની ઉપશાંતતા એક પરિબળ, માત્ર મોક્ષ અભિલાષા બીજું પરિબળ, ભવે ખેદ ત્રીજું અને પ્રાણી દયા આ ચાર પરિબળો છે. પહેલાં ત્રણ વ્યક્તિગત છે, ચોથું પરિબળ તે પ્રાણી માત્ર સાથે છે. કેવી રીતે પ્રાણી માત્ર સાથે રહેવું તે ફોર્મ્યુલા, સાધક તરીકે તમારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy