SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોય અને સરળતા વગર શુદ્ધિ ન થાય અને શુદ્ધિ વિના પરમાર્થ માર્ગની સાધના ન થાય. कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्व-विणासणो ॥ (८/३८) દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન વિનયનો નાશક છે. માયા મિત્રતાનો નાશ કરે છે અને છેલ્લો સૌથી મોટો દાદો લોભ તે સર્વનો નાશ કરે છે. ન્યાય નીતિ, સદાચાર, પ્રેમ, સંભાવના આ સર્વનો લોભ નાશ કરે છે. એક સુભૂમ નામનો ચક્રવર્તી થયેલ. તેણે છ ખંડ જીત્યાં, પૂરતું હતું. તેને થયું કે છ ખંડ તો બધા જીતે છે, હું સાતમો ખંડ જીતી લઉં, અને સાહેબ! તે જીતવા ચાલ્યો, પણ સમુદ્રમાં બધું જ ગયું. કંઈ રહ્યું નહીં. લોભ વ્યાકુળ બનાવે છે. લોભનાં કારણે સંતોષ રહેતો નથી. લોભનાં કારણે દોડધામ અને મૂંઝવણ વધે છે. લોભનાં કારણે ચિંતા વધે છે અને મન દુષિત થાય છે. આવી કષાયવાળી અવસ્થા જો હોય તો તત્ત્વનો વિચાર થઈ ન શકે. તત્ત્વ વિચાર વિના મોક્ષની સાધના પણ ન થઈ શકે. શું કહેવું છે આ ગાથામાં? કષાયો ચારે તરફથી શાંત થયેલાં હોવા જોઈએ. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આવી ભરપૂર મૂડી સાધક પાસે હોવી જોઈએ. ક્રોધનાં પ્રસંગો આવશે તો ક્ષમારૂપી નીરથી ક્રોધને શાંત કરી શકાય. હમણાં પર્યુષણ ગયા પછી મિચ્છામિ દુક્કડનો ઉદ્ઘોષ થયો હશે. મિચ્છામિ દુક્કડે તો કહ્યું પણ અંદરમાં કંઈ થયું? જો ન થયું હોય તો કંઈ અર્થ સરતો નથી. આપણો સ્વભાવ તો અકષાય છે. અને કષાય તો વિકાર છે, ખામી છે. કષાય હોવાં તે દોષ છે, આપણા કષાયો ગયા નથી પણ જંપીને બેઠાં છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આંતકવાદીઓએ ધમકી આપેલી પણ પોલીસ ખાતું બરાબર હતું એટલે કંઈ વળ્યું નહીં. આ કષાયો આતંકવાદીથી પણ ભૂંડા છે, જંપીને બેસતાં નથી. એ ગમે ત્યારે તોફાન કર્યા વગર રહેતાં નથી, આપણી સાધના લૂંટ્યા વગર રહેતાં નથી. કષાયની ઉપશાંતતા” એક, “માત્ર મોક્ષ અભિલાષ'' બે. કેમ એમ કહેવું પડ્યું? સાધનામાં બીજા રસ્તાઓ ફંટાઈ જાય તેવી શક્યતાઓ છે. અંદરમાં હજુ જગતનાં બીજા પદાર્થો પ્રત્યે આકર્ષણ રહ્યું છે. શાસ્ત્રો દેવલોકનું વર્ણન કરે અને પછી મોક્ષનું વર્ણન પણ કરે તો ક્યારેક વિકલ્પ થાય કે એક વખત દેવલોકમાં પણ જઈ આવીએ, પછી મોક્ષમાં જઈએ, કારણ કે મોક્ષમાં ગયા પછી પાછા નહીં આવી શકાય. જેમ આવતીકાલથી ઉપવાસ કરવાનાં છે, તો આજે અત્તરવાયણામાં થોડું વધારે લો ને. આમ માર્ગ ફંટાઈ જાય છે અને તેનું કારણ ઈચ્છા છે. જ્યાં સુધી ભોગ અને પરિગ્રહની ઈચ્છા છે ત્યાં સુધી સાધકને અનેક દિશામાં ગતિ કરવાની શક્યતા છે, અને તેનો વખત આવે ત્યારે તે પોતાની આખી સાધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy