SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ લોભ. બહુ સંક્ષેપમાં આ વાત સમજી લઈએ. પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ तत्रोपतापकः क्रोधः क्रोधो वैरस्य कारणम् । વ્રુતિર્વર્તની ઋોધ:, ોધ: શમસુવાર્તાના। (યોગશાસ્ત્ર ૪/૯) ક્રોધ કરવાથી ક્રોધ કરનારનાં મનમાં સંતાપ થાય છે, અને જેને સંતાપ થયો હોય તે તત્ત્વ વિચાર કરી શકે નહિ. સંતાપમાં ઉત્તેજના-આવેશ હોય. ક્રોધમાંથી વેરની જ્વાળા પણ પ્રગટ થાય. પહેલાં ક્રોધ આવે પછી વેરભાવ થાય. તમારે વેરભાવ શાંત કરવો હશે તો પહેલાં ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધમાંથી વેરની પેદાશ થાય છે, અને દુર્ગતિમાં લઈ જનાર પણ ક્રોધ છે. સૌથી મહત્ત્વની વાત શાંતિ કે સમતાનું સુખ ઝૂંટવી લેનાર આ જ ક્રોધ છે. ક્રોધ તમારું સુખ લઈ લે છે. તમે જોજો, તમે બિલકુલ શાંત મનવાળાં છો, સાંભળી શકો છો, વિચાર કરી શકો છો, પરંતુ બહાર ગયા પછી કોઈ કારણસર ક્રોધ આવી જાય અને પછી તમને કોઈ કંઈ વાત કરવા આવશે તો ગુસ્સે થઈ કહેશો કે હમણાં નહિ, પછી. આ ક્રોધ દૂર થાય તો મનમાં એક ભૂમિકા તૈયાર થશે. ‘ક્રોધ આવે છે તે મનને વ્યગ્ર કરે છે.’ જગતનાં પદાર્થોને કારણે, પોતાની મોટાઈ માને અને મનાવે એને કહેવાય છે અહંકાર. મોટાભાગનાં અવરોધો અહંકારમાંથી થાય છે, સંસારમાં તો નડશે, પરંતુ દીક્ષા લઈને ગુરુ મહા૨ાજ પાસે જશો તો ત્યાં પણ નડશે. ત્યાં જઈને પણ કહેશો કે ‘કંઈ નહીં ત્યારે, તમે તમારા માર્ગે અને અમે અમારા માર્ગે, અમે છુટ્ટાં છીએ.' અહંકાર જોડાવા નહીં દે, પ્રેમ કરવા નહિ દે, નમ્ર રહેવા નહિ દે અને સમર્પણ કરવા પણ નહીં દે. અહંકાર ત્રણ વસ્તુને ખતમ કરે છે. ‘વિનયશ્રુતશીનાનાં ત્રિવર્ગાસ્ય હૈં ઘાત∞: ।′ (યોગશાસ્ત્ર ૪/૧૨) વિનય ધર્મનું મૂળ છે, એ વિનયને ખતમ કરે છે. અહંકારી માણસ નમ્ર રહી શકતો નથી. બીજી વાત, તે જ્ઞાનને પણ ખતમ કરે છે. જ્ઞાનનો દુશ્મન અહંકાર છે. જ્ઞાન પ્રાપ્તિમાં પણ અહંકાર આડો આવે છે. સ્ફુલિભદ્રજીને અહંકાર આવ્યો તો ભદ્રબાહુ સ્વામીજીને કહેવું પડ્યું કે હવે તમને આગળનો અભ્યાસ કરાવવામાં આવશે નહીં, કારણ કે તમારામાં અહંકાર છે તેથી પચાવી નહીં શકો. આ વાતને ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ ગ્રંથમાં કહી છે, ‘શ્રુતશીજીવિનયજ્ઞન્દૂષળચ.′ (ગાથા ૨૭) શ્રુતજ્ઞાન, શીલ (સદાચાર) અને વિનયને અહંકાર દૂષિત કરે છે. તેમજ અહંકાર ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ આ ત્રણને નુકશાન કરે છે. માયા જેટલી તીવ્ર તેટલી સરળતાને ખોવી પડે છે. પરમાર્થ માર્ગમાં ઓટકોટ કરવાવાળો માણસ, જેને ખાઈ બધેલો કહેવાય તે ન ચાલે. કાઠિયાવાડની ભાષામાં કહેવું હોય તો જેટલા પાઘડીમાં આંટા તેટલાં પેટમાં આંટા, તેટલા મનમાં આંટા. એવાં આંટાં જો હોય તો સરળતા ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy