SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૯ પસંદ કરવાની છે. તમને થશે કે સાધક તરીકે અમે તો બહુ સારો વ્યવહાર કરવા ઈચ્છીએ છીએ, પણ સામા લોકો વિચિત્ર છે એટલે અમારાથી આવું થઈ જાય છે. સામેનાં લોકો ભલે વિચિત્ર રહ્યા, પણ તમારે સાધના કરવી છે, તમે સાધક છો. સાધક એક જવાબદાર વ્યક્તિ છે. જેમ મેનેજર જવાબદાર વ્યક્તિ છે, ઘરનો વડીલ જવાબદાર વ્યક્તિ છે, પતિ જવાબદાર વ્યક્તિ છે, તેમ સાધક પણ જવાબદાર વ્યક્તિ છે. તેણે જવાબદારીપૂર્વક જીવવું પડશે. સાધના જગતમાં જ કરશો ને? આશ્રમમાં જાવ તો પણ જગત અને વનમાં જાવ તો પણ જગત તો હશે જ ને? ત્યાં પણ નદી, વૃક્ષો, પક્ષીઓનો કલરવ હશે. કાગડો ઝાડ ઉપર કા કા કરતો હશે. ચકલીઓ ચીં ચીં કરતી હશે. તેના વચ્ચે રહીને જીવવાનું થશે. તમારી મૂડી કોમળતા, તમારી મૂડી પ્રેમ, સ્નેહ,મૈત્રી, સૌજન્ય; તમારી મૂડી મધુરતા અને તમારી મૂડી ઉદારતા, વિશાળતા અને સભાવ, આ બધી મૂડી લઈને સાધકે સાધનાની યાત્રા કરવાની છે. આવું વાતાવરણ જેની અંદરમાં હોય ત્યાં “આત્માર્થ નિવાસ.” આ આત્માર્થી શબ્દ ત્યાં શોભે છે. આ આત્માર્થી અને ત્યાં આત્માર્થનો નિવાસ થાય. પોતાનાં સરખાં સર્વ જીવોને ગણે તો તેનું અંતઃકરણ કોમળ થાય. આવી કોમળતા જો આવે તો આત્માર્થી બની શકે. આવો આત્માર્થી બને તો અનુભવની ઘટના ઘટે. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહીં જોગ, મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. (૩૯) જેમ હાઈકોર્ટનું સુપ્રીમકોર્ટ બધું રદ કરી નાખે છે તેમ આ ૩૯મી ગાથા બધા વાંધા રદ કરી નાખે છે. સદ્ગુરુ છે તો કેમ મળતાં નથી? ક્યાં શોધવા? હવે છે નહીં અને થવાનાં પણ નથી: થયા એ થયા, હવે નવા નહિ થાય, આવા કેટલા બધા વાંધા? તે બધા જ આ ગાથામાં રદ થાય છે. “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ.” જ્યાં સુધી ૩૮ મી ગાથામાં બતાવેલી દશા જ આત્મા પ્રાપ્ત ન કરે તો તેને સદૂગુરુનો જોગ ન થાય. ભાર કોના ઉપર આવ્યો? તમારા પોતાના ઉપર. હવે કોઈ વાંધા કાઢી નહીં શકો. “દશા ન લહે જ્યાં સુધીમાં, કેવી દશા? “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા.” એવી દશા અંતરમાં નહીં આવે ત્યાં સુધી તેને સદગુરુનો જોગ નૃહીં થાય. શુરુ હોવા એક વાત અને સદ્ગુરુનો જોગ થવો બીજી વાત. જોગમાં મિલન છે, આત્મીયતા છે, અને જોગમાં ઘટના છે. છોકરો છોકરી બન્ને આવતાં જતાં હોય, મળતાં હોય, વાતચીત કરતાં હોય પરંતુ એક દિવસ સગપણ થાય છે, પછી ખબર પડે કે આજે છોકરીનું માથું દુઃખે છે, તો હવે છોકરાને શું થાય? સગપણ સંબંધ થયો એટલે સહાનુભૂતિ થાય છે, ચિંતા થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy