SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ શક્તિ છે. જેમ અણુમાં અનંત શક્તિ છે, તેમ પુદ્ગલ પરમાણુમાં પણ અનંત શક્તિ છે, તેમ આત્માની પણ અનંત શક્તિ છે. બન્ને દ્રવ્યો સક્ષમ છે, સમર્થ છે અને પોતપોતાની ભવ્ય શક્તિથી પૂર્ણ છે. ગુણ જે કામ કરે છે તેને કહેવાય છે પર્યાય. પર્યાય એટલે અવસ્થા. સોનું તે મૂળભુત વસ્તુ છે, (દ્રવ્ય છે.) તેમાં પીળાશ છે, નક્કરતા છે, તે ગુણ. સોનાનો ગઠ્ઠો પહેરી ન શકાય પણ ઘરેણું બને તો પહેરી શકાય. સોનામાંથી ઘરેણું બને તે સોનાની પર્યાય. મૂળ સોનું પણ પીળાશ, નક્કરતા એ તેનાં ગુણો અને તેમાંથી જુદા જુદા આકારો બને તે તેની પર્યાયો. ઘઉંના લોટમાંથી રોટલી બને છે તો લોટ મૂળભૂત વસ્તુ અને રોટલી તેની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, આકાર, પરિણામ અને પરિણમવું તે. હર સમયે, હર ક્ષણે વસ્તુ પરિણમે છે. જડ જડ રૂપે પરિણમે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે, બન્નેના પરિણમન પોતપોતામાં સ્વતંત્ર રીતે થાય છે. જેમ રેલ્વેના બે પાટા છે તે ક્યારેય ભેગા ન થાય, તેવી રીતે બે દ્રવ્યો પણ ક્યારેય ભેગાં ન થાય. પરંતુ જે પર્યાય છે તે દ્રવ્યમાંથી આવે છે. સોનું પિતા પાસે હતું, તેણે દીકરાઓને આપ્યું, તેમણે તેમના દીકરાઓને આપ્યું. જેમ ફેશન બદલાય તેમ ઘાટ બદલાય પણ સોનું એ જ રહે છે અને આકાર જે આવે તે સોનામાંથી જ આવે, તેમ આત્મ દ્રવ્યમાંથી જ આત્મ દ્રવ્યની પર્યાયો આવે છે. આનંદધનજીએ કહ્યું છે કે ખાણમાંથી સોનું બહાર આવે તે એકલું બહાર નથી આવતું, પણ એ સોના સાથે માટી ભળેલી છે. માટી ભળેલી છે માટે સોનાને શુદ્ધ કરવું પડે છે. તેજાબ છાંટવો પડે, ગરમ કરવું પડે, જે કંઈ પણ પ્રક્રિયા કરવી પડે તે સોનાની મલિનતા દૂર કરવા કરવી પડે છે. કનકોપલવત્ પડે પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. (આનંદધનજી મ.) આ વાત આટલી સરળ છે તે તમને કઠિન કેમ લાગે છે ? આ તો શીરો ગળે ઊતરી જાય તેવી વાત છે, પણ તમે વિચાર ઓછો કર્યો હશે. અન્યનો સંયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને સંસારી કહેવાય. અને અન્યનો સંયોગ મટી જાય તો સંસાર પણ મટી જાય. સાધના શું કરવાની છે ? જે સંયોગ થયો છે, તે સંયોગથી મુક્ત થવાનો પુરુષાર્થ તે સાધના છે. પાણી સ્વભાવે મીઠું છે, દરિયાના પાણીનો તેને સંયોગ થયો તો પાણી ખારું થયું. પાણી ફીલ્ટર કરવાથી ખારાશ દૂર થાય. પાણી શીતલ છે, તેને અગ્નિનો સંયોગ થયો તો ગરમ થયું. તો શું કરવું પડે ? પાણીને ઠારવું પડે અથવા તો અગ્નિથી દૂર રાખો તો ફરી ઠંડુ થઈ જશે. પ્રત્યેક પદાર્થની ગતિ પોતાના મૂળ સ્વભાવ તરફ છે, પરંતુ તેમાં અન્ય દ્રવ્ય ભળે એટલે ડીસ્ટરબન્સ થાય છે. સાદી ભાષામાં એકડે એક અને બગડે બે. બે ભેગા થાય એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy