SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૧ નિકટમાં અને તમારા ઘરમાં હોય તો પણ જોગ ન થાય. દશા એવી જોઈએ, અવસ્થા જોઈએ, ભીતરની ભૂમિકા જોઈએ, અને એવી દશા ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગને પામી શકતો નથી. અને ત્રીજો શબ્દ છે પરિણમન. ૪૦મી ગાથામાં તેનું વિવેચન થશે પણ અત્યારે તે શબ્દ સમજી લો. જેમ વૈદ્ય કિંમતી દવા આપે, મોંઘી દવા આપે પણ તે દવા જે લે છે તે પરિણમવી જોઈએ ને? નહિ તો લાભ ન થાય. સદ્ગુરુ જો મળે, તો સદ્ગુરુના બોધની પ્રાપ્તિ પછી તે બોધ પરિણમવો જોઈએ. બોધ પરિણમે તો અંદર ઘટના ઘટે. શું ઘટના ઘટે ? ત્યાં સુવિચાર દશા પ્રગટ થાય, અને જ્યાં સુવિચાર દશા પ્રગટ થાય ત્યાં અનંતકાળમાં નહિ થયેલ અભુત ઘટના ઘટે, અને એ ઘટના છે નિજજ્ઞાન ! નિજજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું જ્ઞાન. આ ક્રમ સમજી લો. એ જ્ઞાન આપણને થાય તો એ જ્ઞાન શું કામ કરે ? એ મોહનો ક્ષય કરે, અને જ્ઞાનથી મોહનો ક્ષય થાય તો પરમપદ એટલે નિર્વાણની પ્રાપ્તિ થાય. આ પંચમકાળમાં, આવા કલિકાળમાં, આવા વિકરાળ કાળમાં અને આવા સંજોગોમાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ દ્વારા મોક્ષમાર્ગ આપેલ છે. તેમાં કંઈ શંકા કરવાની જરૂર નથી, અને એ વિચારણા જે પ્રગટ થવાની છે તે સુવિચારણા હોય. એ કહેવાનો પ્રારંભ ૪૩મી ગાથાથી થાય છે, અને તે પહેલાં ૪૨ ગાથા સુધી તેની પૂર્વભૂમિકા કહેલ છે. ૪૩મી ગાથાથી ષપદના વર્ણનનો પ્રારંભ થશે. આગળના પ્રવચનની વાત ફરી યાદ કરી લઈએ. જૈન દર્શનમાં પાયાના ત્રણ શબ્દો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ. વસ્તુ બે પ્રકારની છે, જડ પણ છે અને ચેતન પણ છે. ઈન્દ્રિયોથી ગમ્ય પણ છે, અને અતીન્દ્રિય પણ છે. આત્મદ્રવ્ય અતીન્દ્રિય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અતીન્દ્રિય છે, પરંતુ પુદ્ગલ ઈન્દ્રિયગમ્ય છે. ઈન્દ્રિયોથી દેખાય તે પુદ્ગલ, જડ અને જેનામાં જ્ઞાન છે, જે ઈન્દ્રિયો વડે જાણી શકતો નથી, પણ છે, તેનું હોવાપણું છે, એ જીવ અથવા ચેતન અથવા આત્મા અતીન્દ્રિય તત્ત્વ છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ.” જડ જડ રૂપે પરિણમે છે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે. આ વસ્તુ છે, જૈનદર્શનમાં તેને માટે શબ્દ વાપર્યો છે દ્રવ્ય. દ્રવ્ય શબ્દ સાથે બીજો પણ શબ્દ આવે છે. ગુણ અથવા શક્તિ. શક્તિ એટલે તાકાત, તેનું સામર્થ્ય. શક્તિને શાસ્ત્રીય પરિભાષામાં “ગુણ' શબ્દથી જણાવે છે. ગુણ એટલે માત્ર સગુણો નહીં પણ શક્તિ-સ્વભાવ, તે અર્થમાં છે. આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ અને ચારિત્ર ગુણ છે. પુદગલ (જડ) માં વર્ણ (રપ) રસ, ગંધ, સ્પર્શ ગુણો છે. ગુણ એટલે શક્તિએટમબોમ્બનો ખ્યાલ કરો તો સ્પષ્ટતા કરવી નહિ પડે કે એક પરમાણુમાં કેટલી બધી તાકાત અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy