SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ પર્યાયનું અને આત્મસ્વરૂપનું ચિંતન ખંડિત મનથી નહિ થાય, અખંડ મન જોઈએ. એટલા માટે કુંદકુંદાચાર્યજીએ અને હરિભદ્રસૂરિજીએ એક શબ્દ વાપર્યો પ્રજ્ઞા. તત્ત્વને જાણવા માટે માત્ર બુદ્ધિ નહીં, આઈ.ક્યુ. લેવલવાળી બુદ્ધિ નહીં પણ પ્રજ્ઞા જોઈએ. બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી તત્ત્વચિંતન ન થાય. દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું અને દ્રવ્યાનુયોગનું ચિંતન પ્રજ્ઞાથી જ થશે. આઠમા ગુણસ્થાનક પછી એક જ સાધન. ક્યું? અનન્ય ચિંતન. અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ત્યાં ધારા તૂટતી નથી. આ ચિંતન શુભનું નહિ, બહારનું નહિ. આ ચિંતન શુદ્ધ દ્રવ્યનું, તે પણ સ્થૂળ નહિ, અતિ સૂક્ષ્મ. માત્ર ઉપરછલ્લી વાતો કરવાથી આપણું કામ પતી જતું નથી. ઘણાં લોકો સંતો પાસે જઈને કહે છે કે “અમને આશીર્વાદ આપો, માથે હાથ મૂકો, એટલે અમારું કામ થઈ જાય.” આશીર્વાદ તો વરસતાં જ હોય છે, પરંતુ અનન્ય ચિંતન તમારે કરવું પડશે, અને બારમા ગુણસ્થાન સુધી કરવું પડશે. મુખ્ય સાધના કરવામાં અનન્ય ચિંતન જોઈએ અને અનન્ય ચિંતન કરવા આવું ખંડિત થયેલ, વ્યગ્ર બનેલ, અસ્વસ્થ મન, ભાંગેલું અને નિરાશ મન, હતાશ અને વિક્ષિપ્ત મન ન ચાલે, મન તાજગીભર્યું અને ગુલાબનાં ફૂલ જેવું ખીલેલું જોઈએ. આ મનમાં આટલી બાબત હોવી જોઈએ. પહેલી બાબત – કષાયની ઉપશાંતતા – ત્રણ શબ્દો છે. (૧) અકષાય, (૨) તીવ્ર કષાય અને (૩) મંદ કષાય, અકષાય તે અસલ અવસ્થા, વીતરાગ દશા, પરિપૂર્ણ દશા. ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણઠાણાના અંતે મોહનો સંપૂર્ણ ક્ષય થાય એટલે બારમા “ક્ષીણમોહ વીતરાગ' ગુણઠાણે વીતરાગ દશા છે. મોહનીય કર્મના ૨૮ ભેદ છે પણ મુખ્ય બે ભેદ (૧) દર્શન મોહ (મિથ્યાત્વ મોહ આદિ ૩ ભેદ) (૨) ચારિત્ર મોહ, ચારિત્ર મોહના બે ભેદ. (૧) કષાય મોહનીય ૧૬ ભેદ (૨) નોકષાય મોહનીય ૯ ભેદ. બધામાં મિથ્યાત્વ મોહ મુખ્ય છે, દર્શનમોહનો પહેલા નિકાલ થાય પછી ચારિત્ર મોહનો નિકાલ થાય. કષાયો અંદર વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. તે તેનો સ્વભાવ છે. જેટલી અશુભ પ્રવૃત્તિઓ થાય છે, તે તીવ્રકષાયની હાજરીમાં થાય છે. તીવ્ર કષાય જો. હોય તો શુભ પ્રવૃત્તિઓ નહિ થાય. શુભ વિચારો અને શુભ કર્મો પણ નહીં થાય. ત્યાં અશુભ પ્રવૃત્તિ હોય અને અશુદ્ધ પ્રવૃત્તિ પણ હોય. (૩) મંદ કષાય - જ્યાં કષાય મંદ થાય છે ત્યાં શુભ પ્રવૃત્તિઓ થાય છે. ત્રણ અવસ્થા ૧. અશુદ્ધ, ૨. શુભ અને ૩. શુદ્ધ. અશુદ્ધ અવસ્થા તે તીવ્ર કષાયની અવસ્થા, અથવા અશુભ અવસ્થા. અને મંદ કષાય એટલે શુભ અવસ્થા. મંદ કષાય હોય તો ધર્મ થાય, ત્યાં સદૂગુરુનો યોગ થાય. મંદ કષાય હોય ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy