SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બેકગ્રાઉન્ડ, એક પૂર્વ ભૂમિકા જોઈએ, અને એવી પૂર્વ ભૂમિકા પ્રાપ્ત કરવા માટે પરમકૃપાળુદેવે ચાર સૂત્રો આપ્યાં છે. આ ચાર સૂત્રો દ્વારા તેની પૂર્વ ભૂમિકા તૈયાર થાય તે માટે બહુ સરળતાથી આ ગાથા આપણને મળી છે અને એ જ્યારે વાંચીશું ત્યારે આપણને થશે કે ઓહો ! આ તો અમે જાણીએ છીએ. પરંતુ આ ગાથા જ્ઞાન નથી, આ ગાથા અવસ્થા છે. જ્ઞાન અને અવસ્થા જુદા પાડો. જાણવું જુદી વસ્તુ છે અને અવસ્થા જુદી વસ્તુ છે. પ્રચંડ પુરુષાર્થ વગર અવસ્થા પ્રાપ્ત નહિ થાય. ચાર ઘટનાઓ જીવનમાં થવી જોઈએ, અને આ તમામ પ્રકારની પૂર્વ તૈયારી છે. જેમ વ્યવહારમાં વાવવું હોય તો ખેતર ખેડવું પડે, મકાન તૈયાર કરવું હોય તો પાયો ખોદવો પડે. તેમ આધ્યાત્મિકતાનો પાયો નાખવો હોય તો ચાર અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી પડે. એ ચારેચાર અવસ્થાઓ અત્યંત મહત્ત્વની ઘટનાઓ છે. અને તેનાથી જીવનમાં સાધનાનો પ્રારંભ થાય છે. વૈચારિક ભૂમિકા ઉપર સાધના કરવાની હોય તો અંદરમાં કેવી અવસ્થા હોવી જોઈએ તેની વાત ૩૮ મી ગાથામાં કરેલ છે. કષાયની ઉપશાંતતા,માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થનિવાસ. મનમાં કંઈપણ ભ્રમણા ન રહે, કોઈપણ માણસ હું આવો છું તેમ મનાવવાની કોશિશ ન કરે, ખોટાં ગાણાં ન ગાય તેના માટે આ ચાર સૂત્રો છે. જો તમને લાગે કે હું આત્માર્થી છું, તો આત્માર્થીનાં આ ચાર લક્ષણો તમારામાં હોવા જોઈએ. આ વૈચારિક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાં સૌથી ઉપયોગી સાધન મન છે. બહારમાં એકાંત, અસંગ હોય પરંતુ અંદરમાં મન તે મુખ્ય સાધન છે. અંદરમાં આવેશ હોય, મનમાં ઉકળાટ હોય, મન વ્યથિત હોય, વ્યાકુળ અને વિક્ષિપ્ત હોય, મન મૂઢ હોય, અજાગૃત હોય, અસ્તવ્યસ્ત હોય, તૂટેલું અને ભાંગેલું હોય, મનમાં નિરાશા હોય તો તત્ત્વચિંતન નહિ થાય. તત્ત્વચિંતન માટે અખંડ મન જોઈએ. મનનો ઉપયોગ સાધના માટે ક૨વાનો છે. મનમાં જે પણ ઉકળાટ હોય તે પહેલાં શાંત કરવો પડે. જૈન પરંપરાએ, શાંત શબ્દને બદલે ઉપશાંત શબ્દ વાપર્યો. તે એટલા માટે વાપર્યો કે અશાંત બનાવનાર બીજા જે પરિબળો છે તે અંદર સક્રિય નથી. પ્રારંભ જ્યારે થશે ત્યારે ઉપશમથી જ થશે, ક્ષાયિકથી નહિ થાય. જ્યારે પહેલું સમ્યગ્દર્શન થશે ત્યારે ઉપશમ સમ્યગ્દર્શન જ થશે. સીધું ક્ષાયિક સમ્યગ્દર્શન નહિ થાય. ચારિત્ર મોહનો ઉપશમ થાય અથવા સીધો ક્ષય પણ થાય. ઉપશમ થવો જોઈએ એટલે ઠરવું જોઈએ. પ્રગાઢ શાંત અવસ્થા હોવી જોઈએ. કમ સે કમ ઊંડાણથી તત્ત્વચિંતન કરી શકાય તેવી મનની ક્ષમતા રહેવી જોઈએ. આ દ્રવ્ય, ગુણ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy