SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ છે પણ તેમાંથી બહુ મોટું કામ એ થયું કે મનમાં કોઈ જાતનો રોગ, એટલે ઈચ્છા, તૃષ્ણા, બહારથી કંઈ જોઈએ છીએ એવું રહ્યું નહીં. મન રોગ એટલે લોભ :- લૌકિકમાં, સંસારમાં કોઈ જાતની આસક્તિ નથી. અંબાલાલભાઈની ટીકામાં કહે છે, “અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગની શોધ કરે છે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માન, પૂજા, રિદ્ધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખે નહિ.” ઈચ્છારૂપ રોગ જેના મનમાં નથી તેને અમે આત્માર્થી કહીએ છીએ. બહુ જ સ્પષ્ટ ચિત્ર છે. ક્યાંય અસ્પષ્ટતા નથી. સાંસારિક ઈચ્છાનો ત્યાગ કરે છે. આગળ વધીને ઉપરની અવસ્થામાં જ્ઞાનીઓએ એમ પણ કહ્યું કે તેને સંસારની ઈચ્છા તો નથી રહી, પણ હવે મોક્ષની ઈચ્છા પણ નથી રહી. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. સર્વ દુઃખનું મૂળ ઈચ્છા છે. આજની આધુનિક પરિભાષામાં મોટો પ્રશ્ન કોઈ હોય તો ટેન્શન, ટેન્શન, ટેન્શન ચારે તરફ વરસી જ રહ્યું છે, અને ઈચ્છા છે ત્યાં ટેન્શન છે. જ્યારે બીજી ઈચ્છા ન રહી હોય ત્યારે જ્ઞાનીનો મેળ થાય અને સંબંધ બંધાશે. પરંતુ જ્ઞાની મળ્યાં હોય અને તમને મનમાં ઘણી ઈચ્છાઓ બાકી હોય તો મેળ નહીં પડે. પરમકૃપાળુદેવ સૌભાગ્યભાઈને વારંવાર લખતાં હતાં કે તમારી મુશ્કેલીઓ, તકલીફો અમે જાણીએ છીએ, પણ “તે તકલીફો દૂર થાય તેમ કરો' એવું કહેવું તમને શોભતું નથી. સૌભાગ્યભાઈને ઘણી આર્થિક મુશ્કેલીઓ હતી. આવી મૂંઝવણ કહેવી કોને? પરમકૃપાળુદેવ કહેતાં કે હાથથી કે પાવડાથી રેતી ઉપાડવી ઠીક છે, પરંતુ આંખની પાંપણથી રેતી ઉઠાવવાનું જેટલું કઠિન છે એટલું સંસારિક કામની યાચનાની મદદ કરવી જ્ઞાનીને કઠિન છે.” અન્ય યાચનાઓથી તમારો યોગ નિષ્ફળ જશે, સફળતા પ્રાપ્ત નહિ થાય, મેળ નહિ પડે. સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે અને તે ટાળ્યાં સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થતી નથી. અને ધ્યાન અવસ્થામાં ગયા સિવાય શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. તો ક્રમશું આવ્યો? શુદ્ધ આત્માની અનુભૂતિ ધ્યાનમાં થાય. ધ્યાન તો જ થાય કે જો સંકલ્પ વિકલ્પ ટળે. અને સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે. તો સંકલ્પ વિકલ્પ એટલે ઈચ્છાઓ ટાળ્યા સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. અને ધ્યાન સિવાય શુદ્ધાત્માની અનુભૂતિ થઈ શકતી નથી, માટે જ્ઞાની પુરુષોએ “જગતનાં પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેમ ભારપૂર્વક કહ્યું છે. જગતનાં પદાર્થો જો અનિત્ય લાગશે તો જ પર પદાર્થ પ્રત્યે ઈચ્છા અને મારાપણું નહિ રહે. આત્માર્થી સાધનાનો પુરુષાર્થ કરે, પ્રારંભ કરે ત્યારે તેની એક અવસ્થા જોઈએ, એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy