SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૫ નીતિ અને ન્યાય તરફ પ્રેરે, માણસાઈ તરફ અને શાંતિ તરફ, પ્રેમ અને સદ્ભાવ તરફ પ્રેરે. એવો વ્યવહાર તેને માન્ય હોય, આવો વિચાર અંતરમાં કરે. હવે આપણે એ લીટી ઉપર આવ્યા, ‘શોધે સદ્ગુરુ યોગ', એકાંતમાં આ પ્રમાણે વિચારીને આત્માર્થી સાધક સદ્ગુરુના યોગને શોધે છે. અહીંથી સાધનાની શરૂઆત થાય છે. તે પહેલા કઈ માળા કરવી, ક્યા મંદિરમાં જવું ? દિગમ્બરના કે શ્વેતાંબરના ? એને આવી મુશ્કેલીઓ ઓછી નથી. આ જીવ ક્યાં ક્યાં અટક્યો છે ? જેને આત્મહિત કરવું છે તે આત્માર્થી શોધ કરે છે-એ યોગ શોધે છે. યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે મિલન, યોગ એટલે સંયોગ, સંબંધ, તન્મયતા. કોનો યોગ ? તો સદ્ગુરુનો યોગ. જ્યાં જ્યાં ઘટના ઘટી છે, ત્યાં પ્રથમ સદ્ગુરુનો યોગ થયો છે, અને આત્માર્થીએ સદ્ગુરુનો યોગ શોધ્યો છે. ‘એમવિચારી અંતરે’, –અંતરમાં આ પ્રમાણે વિચાર કરીને, સર્વ પ્રકારે વિચાર કરીને, યથાર્થપણે વિચારીને એ સદ્ગુરુનો યોગ શોધે છે. શું લઈને શોધ કરવી ? કયા ધારાધોરણ અને કયું માપ નક્કી કરવું ? તમે જોઈ જોઈને શું જોશો ? બહારમાં ભાષા તરફ ? કપડાં તરફ ? માન્યતા તરફ ? પણ એ આ બધી વસ્તુઓથી જુદો છે. માટે પરમકૃપાળુદેવ વારંવાર કહેતાં હતાં કે ‘અંદરની અવસ્થા તે નિગ્રંથ અવસ્થા અને બહા૨ની અવસ્થા એ વૈશ્યની અવસ્થા. વૈશ્ય વેશમાં આ નિગ્રંથ અવસ્થાની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે, જાણ થવી અને પરખ થવી મુશ્કેલ છે’ આત્માર્થી અંદરથી તટસ્થ, નિષ્પક્ષ અને મતાગ્રહથી રહિત થયો છે. ‘કામ એક આત્માર્થનું’ હવે તેને કોઈ બીજું કામ, ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા કે તૃષ્ણા નથી. કદાચ તમારા ઉપર ધરણેન્દ્રદેવ કે પદ્માવતીજી પ્રસન્ન થાય અને તમને કંઈ માંગવાનું કહે કે તમે દર પુનમે શંખેશ્વર આવો છો, તો અમે બહુ પ્રસન્ન છીએ, તમે જે માગશો તે આપીશું, તો તે વખતે રોમરોમમાંથી એક જ માગવું, માત્ર પર્યાય શુદ્ધ થાય તે કરો. સીતાજીને સગર્ભાવસ્થામાં વનમાં મૂકવામાં આવ્યા, જંગલમાં પશુ હોય ત્યાં છોડી દેવામાં આવ્યા, તે વખતે સીતાજી રામજીને સમાચાર કહેવરાવે છે કે ‘તમે રાજા છો, રાજા તરીકે તમે જે નિર્ણય લીધો તેની સામે મને વાંધો નથી પરંતુ એક મારી વિનંતી છે કે લોકના કહેવાથી મને ભલે જંગલમાં છોડી, પરંતુ લોકોના કહેવાથી વીતરાગ માર્ગને છોડશો નહિ.’ એક માત્ર આત્માર્થ થાય તે સિવાય બીજું કોઈ કામ જ નથી. અને માટે જ સ્પષ્ટતા કરી કે ‘બીજો નહીં મન રોગ’ હજુ સાધના ચાલુ નથી કરી, એટલું જ કહ્યું છે કે તેણે વિચાર કર્યો છે અને વિચાર કરી સદ્ગુરુની શોધનો તેણે પ્રારંભ કર્યો છે. આત્માર્થનું એક જ કામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy