SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ એક જ હોય તો આવા પંથ ઉપર ચાલવા માટે વ્યવહાર આ ત્રણ સિદ્ધાંતોને અનુકૂળ આવે તેવો જોઈએ. કોઈ કહે મારવું, ગુસ્સો કરવો, ચોરી કરવી અને આનાથી મોક્ષ મળે તો વાત ખોટી, કોઈ કહે કે યજ્ઞમાં પશુનું બલિદાન આપવાથી મોક્ષ મળે, તો તે વાત ખોટી, કોઈ કહે કે ખાતાં પીતાં મોક્ષ મળે તો એ વાત ખોટી; પરંતુ સામાયિક કરો તો સમતા પ્રાપ્ત થાય, પ્રતિક્રમણ કરો તો પાપનું પ્રાયશ્ચિત થાય, અરિહંતની પૂજા કરો તો ભક્તિભાવ જાગે. સદ્ગુરુને વંદન કરો તો ઉપદેશ બોધની પ્રાપ્તિ થાય. તપ કરો તો વૃત્તિઓ જીતાય. આ વ્યવહાર સમંત કહેવાય. હવે કોઈ કહે કે “જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ લેવું, રાત્રે બાર વાગે પણ ઈચ્છા થાય તો ખાઈ લેવું.” આવો વ્યવહાર ન ચાલે. તીર્થંકરદેવે વ્યવહારનો પણ બાંધો આપ્યો છે, અને પરમકૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષોએ બાંધેલા બાંધાને તમે કદી પણ તોડશો નહીં. તમારી વ્યવહારિક ભૂમિકા ઉપર જે ક્રિયાઓ છે તે રાગ દ્વેષ અને અજ્ઞાનને દૂર કરે તેવી હોવી જોઈએ. “પ્રેરે તે પરમાર્થને એટલે કે પરમાર્થમાં તમને લઈ જાય, તમને એમાં સ્થિર કરે, ઉલ્લાસ અપાવે તેવી હોવી જોઈએ. એ જ વ્યવહાર અમને માન્ય છે. નિશ્ચયની વાત પહેલાં કરી અને ત્યારબાદ ધ્વહારની વાત કરી, તે બંનેમાંથી કોઈનો વિચ્છેદ ન કરશો, તોડશો નહિ. એકલાં નિશ્ચયને કે એકલાં વ્યવહારને પકડશો નહિ. આગળ એ ગાથા આવી ગઈ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. તમામ પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાં છે. કોઈ બંધારણ વિવાદ માટે નથી. આખા જગતમાં ધર્મ જ એવું એક સ્ટેજ છે કે જેના ઉપર તમામ ધર્મના આચાર્યો હસતાં હસતાં સાથે બેસી શકે, પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ધર્માચાર્યોને ભેગા કરવાં એટલે દુઃખ વધી જાય. મોક્ષ એટલે રાગ, દ્વેષ અને મોહનો ક્ષય. જેનાથી રાગ દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન જાય તે જ વ્યવહારમાર્ગ અને આવા માર્ગે જે ચાલે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ટીકામાં કહ્યું છે કે ત્રણે કાળને વિષે, પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક જ હોવો જોઈએ, તો માર્ગ ભેદ ન કરો, જુદા વાડા ન બનાવો, જુદી પ્રણાલિકા ન બનાવો, એટલું જ જુઓ કે મૂળભૂત દોષો રાગ, દ્વેષ, અજ્ઞાન જાય છે? ભલે તમારો વ્યવહાર ઊંચામાં ઊંચો હોય તો પણ આ વાત ભૂલો નહિ. આ તો થવું જ જોઈએ. પરમાર્થ સિદ્ધ થાય તેવો વ્યવહાર આ જીવે પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક સ્વીકારવો જ જોઈએ. મોક્ષનો માર્ગ એક જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy