SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૯ ફરીને, નિશ્ચયનયથી મોક્ષનો માર્ગ, “આત્મા અને તેના ત્રણ લક્ષણો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એકતા થાય તે છે”, “મૂળ મારગ સાંભળો જિનનો રે', તેમાં છેલ્લે આવ્યું કે ત્રણેની એકતા થાય. જેમ લાડવો બનાવવો હોય તો ઘી, ગોળ, આટો ત્રણે એક થવા જોઈએ, તેમાં ઘી તો રહે જ છે, ગોળ પણ રહે છે અને આટો પણ છે પરંતુ એક થાય એટલે લાડવો કહેવાય, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણે એક થાય તો સમાધિ પ્રાપ્ત થાય. આ મોક્ષનો માર્ગ છે. આત્માની શુદ્ધતા કરવા શું કરવું પડે? આત્માની શુદ્ધતા કરવા, શુદ્ધ આત્માને લશે આત્મામાં જ સ્થિર થવું પડે. આત્મા પોતે શુદ્ધ આત્માના લશે, શુદ્ધ આત્મામાં સ્થિર થાય, આ જ યથાર્થ માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે. વ્યવહારમાં અનેક વિધાનો, અનુષ્ઠાનો છે, પણ તેનાથી નિશ્ચયમાર્ગ સિદ્ધ કરવો છે. શુદ્ધાત્માની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં વ્યવહાર સફળ. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયો ગયા તો વ્યવહાર સફળ. પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાન કષાયો ગયા તો વ્યવહાર સફળ. છ પ્રત્યાખ્યાન કષાયો ગયા અને આગળ સંજ્વલન કષાયો ગયા તો વ્યવહાર સફળ. કષાય ઘટતા જાય, વૃત્તિઓ તૂટતી જાય, વિચાર શાંત થાય, રાગ દ્વેષ મોળાં પડતાં પડતાં ક્ષીણ થઈ જાય, તે વ્યવહાર સફળ અને સમંત, આવો વ્યવહાર રાખવો. છેલ્લી વાત, નિશ્ચય મોક્ષમાર્ગ નિર્વિકલ્પ દશામાં આત્મામાં સ્થિર થવું તે છે. કોનામાં સ્થિર થવું? આત્મામાં. કેવાં આત્મામાં? શુદ્ધાત્મામાં. કેવી રીતે? તો નિર્વિકલ્પ દશામાં. કોઈ પણ વિકલ્પ ન હોય તેવી દશા. સામાયિક લઈને બેઠા હો અને સામે ગેસ ઉપર મૂકેલું દૂધ ઊભરાઈ જાય તો બૂમ પાડે, “અલ્યા, કોઈ છે કે નહિ? આ મલાઈ ગઈ.' આ વિકલ્પ, તે મોક્ષમાર્ગમાં અંતરાય કરે છે. માર્ગ નિર્વિકલ્પ છે. તમામ અંતરાયોથી અને વિકલ્પની પેલી પાર જાવ ત્યારે તમે તમારા પ્રદેશમાં પગ મૂકી શકશો. એ સિવાય પગ નહીં મૂકી શકો. એ માટે કરવામાં આવતો મન-વચન-કાયાનો, સદ્ગુની આજ્ઞાપૂર્વકનો પુરુષાર્થ આને કહેવાય છે વ્યવહારમાર્ગ. આ બંનેની સંધિથી મોક્ષની પ્રાપ્તિ થશે. આ વાત હૈયામાં જો ઠારશો, તો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. આજનું મુખ્ય સૂત્ર-ધર્મના નામે કોઈ વિખવાદ કરવાની જરૂર નથી. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy