SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પણ ખટકવાં જોઈએ, અને ત્યારે અંદરથી નિર્ણય આવે કે હવે આ સંયોગો અને સંસાર નથી જોઈતાં, પણ મોક્ષ જોઈએ છે. ફરીથી એ જ વાત દઢ કરવી પડશે. સંયોગ થયો કોના કારણે ? રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે. સરળ વાત છે કે આ સંયોગને છોડવો હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત બનો, તો જ સંયોગો છૂટશે. અને સંયોગો છૂટ્યાં તો કર્મો ગયાં, અને કર્મો ગયાં તો સંસાર કે જે ચૌદ રાજલોકમાં ફેલાયેલો છે તેમાંથી તમે મુક્ત. તમે શું કર્યું? રાગ, દ્વેષ અને અજ્ઞાનને દૂર કર્યા. રાગને દૂર કરવો વીતરાગતાથી, વૈષને દૂર કરવા પ્રેમ અને મૈત્રીથી, અને અજ્ઞાન એટલે મોહને દૂર કરવો સગુરુએ આપેલા આત્મબોધથી. જ્યારે મોક્ષ મેળવવો હશે ત્યારે કર્મનો સંયોગ છોડવો પડશે. જ્યારે કર્મનો સંયોગ છોડવો હશે ત્યારે રાગ, દ્વેષ અને અજ્ઞાન છોડવાં પડશે. અને એ દૂર કરવા વીતરાગતા, સમ્યગુદર્શનઆત્મબોધ અને મૈત્રી એ સાધના છે. પરમકૃપાળુદેવ કહે છે કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ', હવે પૂછો કે ગઈ કાલે, આજે અને આવતી કાલે મોક્ષમાર્ગ શું? આજે, આવતી કાલે કે પાંચ, પચ્ચીસ વર્ષ પછી એક જ પંથ, અને જો રખડવું બંધ કરવું હશે તો આ ત્રણને દૂર કરવાં જ પડશે. ક્યાંય અટકવાની જરૂર નથી, એક જ સીધો માર્ગ. વચમાં અવરોધ કે અંતરાય નહિ. એટલું નક્કી રાખવાનું કે રાગ અને દ્વેષ રહિત થવું છે, એ થવા માટે વીતરાગતા એ સાધન, પ્રેમ અને મૈત્રી એ સાધન, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન એ સાધન. આ ત્રણે સાધનો લઈ ચાલો એટલે સીધાં મોક્ષના દરવાજે જઈ ઊભા રહેશો. આપણે શું માખણ કાઢ્યું? સાર શું લીધો? “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ.” આ થીયરી નક્કી કરી આપી, પરંતુ આ કહ્યા પછી બીજી વાત રહી જાય છે, તે કહે છે. “પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર મંત.” થીયરીને પ્રેક્ટીકલ એટલે વ્યવહારમાં ઉતારવી પડશે. શાસ્ત્રો એમ કહે છે પરમાર્થને લક્ષમાં રાખી તમારે વ્યવહારનું આયોજન કરવું પડશે. પરમાર્થ માર્ગ ત્રણે કાળમાં એક જ છે પરંતુ તેને વ્યવહારમાં કેમ ઉતારશો? તમારું કોઈપણ સાધન - સામાયિક, પ્રતિક્રમણ, પૂજા કે સ્વાધ્યાય હોય કે જેનાથી રાગદ્વેષ ઘટે, અજ્ઞાન દૂર થાય એવો વ્યવહાર, એવી પ્રક્રિયા, એવું સાધન-એ માર્ગની સાધના છે. બંને નય મળી ગયા. નિશ્ચયનય અને વ્યવહાર નય, બંને નયની સંધિ થઈ ગઈ. નિશ્ચયે લીટી દોરી આપી. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પચાસ માણસોને તમે જમવાનું આમંત્રણ આપો. નક્કી થઈ ગયું કે જમાડવા છે એ નિશ્ચય, પછી તમારે નક્કી તો કરવું પડે ને કે શું જમાડવા છે? જમણવાર કરવો હોય તો રસોઈઓ જોઈએ. રસોઈની સામગ્રી, બધા સાધનો એકત્રિત કરવા પડે. વ્યવહાર પણ નક્કી કરવો જ પડે. પરમારથનો પંથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy