SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે કે ‘હે પ્રભુ ! જે સાધુ અથવા મુનિ હોય, તેને કેવું સુખ હશે ? કોઈની સાથે તુલના કરી શકાય ખરી ?' ભગવાન સંક્ષેપમાં એમ કહે છે કે અનુત્તર વિમાનના દેવોનું સુખ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, પરંતુ સંસારનો પરિત્યાગ કરી જે મુનિ બાર મહિના સાધના કરે, તેને અનુત્તર વિમાનના સુખ કરતાં પણ અનેકગણું સુખ મળે છે. ‘સાધુપણામાં સુખ ઘણા રે માતા, નહીં દુખનો લવલેશ.' ધન્નાજી માતાને કહેતાં હતાં કે મુનિપણામાં ઘણું સુખ છે, ત્યાં દુઃખ છે જ નહિ. કારણ ? સુખનો ખજાનો ખૂલી ગયો છે. બહાર લેવા જવાની જરૂર નથી, અને એ ખજાનો લઈ મુનિ તેરમે પહોંચે છે. આત્મ દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશો, અનંત ગુણો અને તેની અનંત પર્યાયો પૂરેપૂરી ખીલી જાય છે. જેમ ચંદ્રમા અમાસે ન દેખાયો, એકમને દિવસે થોડો દેખાયો, બીજને દિવસે થોડો વધારે દેખાય, વધતાં વધતાં પૂર્ણિમા આવી ત્યારે ચંદ્ર પૂરેપૂરો દેખાયો, તેવી રીતે તેરમા ગુણસ્થાને આત્મા પૂરેપૂરો ખીલ્યો. આવી પ્રક્રિયાનો પ્રારંભ-ચોથા ગુણસ્થાનથી, સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી થાય છે. સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી સાધનાની શરૂઆત થાય છે, એ સાધનામાં એક વાતની સ્પષ્ટતા અહીં ૩૬ મી ગાથામાં કરી છે. ૩૭૪ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. જો સમજતાં આવડે તો દુનિયાભરનાં ઝગડાઓ અને વિવાદોનું આ ગાથામાંથી સમાધાન મળી જાય. ધર્મના નામે, સંપ્રદાયના નામે કોઈ ઝગડો રહે જ નહીં. સમાધાનનો ઉપાય આ ગાથામાં છે. સર્વ ધર્મ સમન્વયની વાત પણ નથી, ધર્મ એ વિખવાદ ઉત્પન્ન કરે છે તેની પણ વાત નથી. આ એક ગાથા એવી છે કે તમામ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાંથી મળે છે. જેણે પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, જે મોક્ષમાર્ગના મુસાફર છે તેણે પંથ ઉપર ચાલવું પડશે. પંથ એટલે માર્ગ, તેના વગર યાત્રા નહિ થાય. એટલા માટે તો આ રસ્તાઓ સારામાં સારા બનાવાય છે, માર્ગ જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મોક્ષ તો મળશે પણ માર્ગ પહેલાં જોઈએ. મોક્ષ છેલ્લે છે. સાધકને મૂંઝવણ થાય છે કે આ ધરતી ઉપર અનેક ધર્મો છે, અનેક શાસ્ત્રો છે, સંપ્રદાયો અનેક છે, મત મતાંતરો પણ અનેક છે, સ્મૃતિઓ અનેક, કહેનારાંઓ અનેક, પ્રતિપાદન કરનારાં પણ અનેક છે. જ્યારે અમે કોઈને કહીએ કે અમારે માર્ગ ગ્રહણ કરવો છે, પંથ ઉપર ચાલવું છે, મોક્ષ મેળવવો છે તો આટલાં બધાં શાસ્ત્રો, આટલા બધાં સિદ્ધાંતો છે, અમારે કરવું શું ? તો એ કહેશે કે ‘તમે કોઈને પૂછશો નહીં, અમે કહીએ તે જ સાચું.’ ‘મત મતભેદે રે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ.' આ દુકાનો જબરજસ્ત ખૂલી ગઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy