SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૩ હાજરીની જરૂર નથી કે વસ્તુઓની જરૂર નથી. એ છે આત્માનો અનુભવ. એક વખત જો આત્માનો અનુભવ મળી ગયો, તે દિવસથી તમને જગતનાં બધાં સુખો ફિક્કા લાગશે. જેણે આત્માનો આનંદ અનુભવ્યો, તેને સમજવા જગતમાંથી કોઈપણ ઉપમા એવી નહિ મળે કે આ આનંદ આવો છે. એ નિર્વિકલ્પતાનો આનંદ છે, એ ઐક્યનો આનંદ છે, અભેદનો આનંદ છે. ખરેખર તો તેણે આનંદના દરિયામાં ડૂબકી મારી છે. ટી.વી. જોવા તમે બેસો અને ખૂબ રસ પડતો હોય ત્યારે તમને કોઈ બોલાવે તો તમારા આનંદમાં ભંગ પડે છે ને ? તો આત્માનાં આનંદમાં જે ડૂબી જતાં હશે તેનું શું થતું હશે ? ‘ઈતને દિન તૂ નાહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં.’ ‘પ્રભુ ! આટલો અનંતકાળ ગયો છતાં અમે તને જાણ્યો નહીં. મારો જન્મ અજ્ઞાનદશામાં ગુમાવ્યો.’ સમ્યગ્દષ્ટિ આત્મા એમ વિચારે છે કે આવો આનંદનો ખજાનો મારી પાસે હોવા છતાં આ પુદ્ગલ દ્રવ્યો કે જેની પાસે આનંદ નથી, તે પુદ્ગલ દ્રવ્યોની પાસે હું આનંદની ભીખ માગું છું. ચ્હા બનાવવી છે, સાકર જેવું બહુ જ ઉજળું સફેદ સરસ મીઠું છે, તે ચ્હામાં નાખો તો ચ્હા કેવી થાય ? મીઠું સાકર જેવું સફેદ છે ખરું, તે ખારાશ આપશે પણ ગળપણ નહીં આપી શકે. જેની પાસે ગળપણ હોય, તે જ ગળપણ આપી શકે. જેની પાસે તીખાશ હોય તે જ તીખાશ આપી શકે, તેમ જેની પાસે આનંદ હશે તે જ તમને આનંદ આપી શકશે. આત્મા પાસે આનંદ છે, તે જ તમને આનંદ આપશે. પુદ્ગલ કહે છે, ‘સાહેબ ! તમે સાંભળતાં નથી. અમારી પાસે આનંદ નથી. આનંદ જોઈતો હોય તો તમે તમારી પાસે જાવ.' જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. આ જડ એ તો જગતનો એંઠવાડો છે. એ તમને કેમ ખપે ? આનંદ તો ચોથા ગુણસ્થાને છે. પછી તો એ આનંદનો અનુભવ કરતાં કરતાં સાધના ચાલુ થાય છે. હવે આનંદ જ એમ કહે છે કે આગળ વધો, આગળ વધો. જ્યાં આનંદના અનુભવ સાથે સાધના, ત્યાં આત્માનાં ગુણોનો આવિર્ભાવ, શક્તિનો આવિર્ભાવ. ચોથે ગુણસ્થાને જે શક્તિ મળી છે તેને લઈને પાંચમે જવાનું છે, પાંચમે જે શક્તિ મળી છે, તેનો ઉપયોગ કરી છઢે જવાનું છે. શક્તિ જોઈશે, એમને એમ તમે સાધના કેમ કરી શકશો ? એ આનંદ મળ્યો છે આત્મામાંથી. આત્માનો અંશે અનુભવ થવાથી આટલો આનંદ મળે તો આત્મા પૂરેપૂરો ખીલશે ત્યારે કેવો આનંદ મળશે ? અંદરથી સાધના કરવાનું જોર આવે છે ત્યારે એ સાધના જુદી જ થશે. આજે તમે બગાસાં ખાતાં ખાતાં સામાયિક કરો છો, તેનાથી એ જુદી જ હશે. જાગૃતિ હોય તો બગાસાં ન આવે. સાધના તીવ્ર બને તેમ આત્મશક્તિ ખીલે. છઠ્ઠ ગયો, આત્મશક્તિ ખીલી, આનંદ વધ્યો, સાતમે આત્મશક્તિ ઓર ખીલી અને આનંદ ઓર વધ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy