SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૫ છે અને હરિફાઈ પણ ચાલે છે. જેટલો માલ સસ્તો તેટલા ઘરાક વધારે. તમે એમ કહો કે તમારે ગ્રંથિભેદ કરવો પડશે, અપૂર્વકરણ કરવું પડશે, અનંતવાર તું ગ્રંથી સુધી આવ્યો પણ તું પાછો ફર્યો. ગ્રંથભેદ કરી ન શક્યો. તને સમ્યગદર્શન કેવી રીતે થાય? તો એ કહે છે “આટલી બધી કઠિન વાત?' એટલે કે આટલો બધો માલનો ભાવ-અમારે માલ નથી લેવો. તેને કોઈક કહેનાર મળે કે “બેટા ! તારા ઉપર હાથ મૂકીએ અને તેને ગ્રંથિભેદ થઈ જશે', તો એ કહેશે કે “આ માલ સારો.' આ દુકાનો મંડાણી છે ધર્મના નામે, અને ધર્મનાં નામે માલ વેચાય છે. પરમકૃપાળુદેવે સિંહગર્જના કરી છે, ધર્મ અનેક ન હોય, માર્ગ અનેક ન હોય, પંથ અનેક ન હોય. આ ૩૬મી ગાથામાં કહ્યું કે “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ' એક જ પંથ હોય. આજે તો કેટલાય ધર્મો અને કેટલાય સંપ્રદાયો છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે અઢાર પુરાણ લખ્યાં, એક લાખ શ્લોકો લખ્યાં. ત્યારપછી તેમણે એક શ્લોકમાં કહ્યું કે “શ્રુતિઓ પણ ભિન્ન છે, સ્મૃતિઓ પણ ભિન્ન છે', કૃતિઓ જુદું જુદું કહે છે અને સ્મૃતિઓ પણ જુદું જુદું કહે છે, આ ધરતી ઉપર રહેલાં વિદ્વાનો, સાધુઓ અને સંન્યાસીઓ પણ જુદું જુદું કહે છે. અમે મુંઝાઈ ઊભા રહ્યા છીએ, કાં તો આ બધું જ ખોટું છે અને કાં તો એમ થાય છે કે આપણું ઠેકાણું પડે તેમ નથી. પરંતુ મહર્ષિ વ્યાસ કહે છે કે મુંઝાવાની જરૂર નથી. જો તમારે ધર્મનું રહસ્ય પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રોમાંથી નહીં મળે, અને સ્મૃતિઓમાંથી પણ નહીં મળે, એ મળશે તો જ્ઞાની પુરુષોના હૃદયમાંથી જ મળશે. અને ત્યાં પહોંચવા માટે એક જ રસ્તો છે અને તે છે પ્રેમનો રસ્તો. સદ્ગુરુ પાસે પ્રેમની મૂડી લઈને જાવ. “પ્રેમના પંથ ગ્રંથ ન્યારા ઓધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા.” પ્રેમ જ્ઞાની પુરુષના હૃદય સુધી પહોંચાડશે. ધર્મનું તત્ત્વ એ સંત પુરુષના હૃદયમાં છે, ત્યાં તમને જાણવા મળશે કે પરમારથનો પંથ એક જ હોય, અનેક ન હોય. કારણ? કારણ સમજતા પહેલાં જે વ્યવસ્થા છે તેને સમજી લ્યો. ત્રણે કાળમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં માર્ગ એક જ હોય. પરમકૃપાળુદેવ કહે છે જો વિખવાદોને શાંત કરવા હોય તો આ ગાથા રત્ન મઢાવી રાખો. “પ્રેમથી ભેગા મળો અને પ્રેમથી રહો. બધા ધર્મો એક છે. ચાલો આપણે એક છીએ તેમ મુઠીઓ વાળવાથી અને બાંગો પોકારવાથી નહીં થાય.” માર્ગ એક જ છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પરમાર્થ એટલે મોક્ષ. મોક્ષ કોનો? આત્માનો. મોક્ષ થવો એટલે મુક્ત થવું, તો બંધન જરૂર હોવું જોઈએ. મુક્ત કોને થવાનું? જેને બંધન નથી તેને મુક્ત થવાની વાત જ ક્યાં કરવાની? કોઈ તેરમે ગુણસ્થાને કેવળીઓને, સિદ્ધોને કહેવા જતું નથી. જે બંધાયો છે તેને કહેવામાં આવે છે. જે બંધાયો હોય તેને બાંધનાર કોઈક જોઈએ. પોતાથી પોતે ન બંધાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy