SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૧ ‘આજ્ઞારાટ્ટા વિરાટ્વા ૪, શિવાય ચ મવાય ચ ।′ (વીતરાગ સ્તોત્ર ૧૯૮૪) આજ્ઞાની આરાધના કરવી એ મોક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસારનું કારણ છે. શિષ્યને એમ થાય કે આજ્ઞા પાલન કરવાનું દબાણ કેમ કરતાં હશે ? દબાણ કરતાં નથી પરંતુ શિષ્યને કહે છે કે તારા ઉપર મોહનું દબાણ છે, આસક્તિ અને માનનું દબાણ છે, તે અમારે હટાવવું છે. એ દબાણ હટાવવા એક સરળ રસ્તો છે કે સત્પુરુષનાં ચરણોમાં આ ત્રણે સાધનો આપી દો. ‘ત્રણે યોગથી' આજ્ઞાને ધારણ કરવી, એટલે પળે પળે, ક્ષણે ક્ષણે આજ્ઞા પ્રમાણે જીવવું. આ સાધનાની શરૂઆત છે પણ આટલાથી સમાપ્તિ થતી નથી. સાધકની આગળની યાત્રા ઘણી લાંબી છે, એને સંપૂર્ણપણે રાગ દ્વેષનો અને કર્મનો ક્ષય કરવો છે. આ પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય, અને બારમા ગુણસ્થાન સુધી અવિરતપણે તેને સાધના કરવાની છે. ચોથા ગુણસ્થાનથી શરૂઆત કરી બારમા ગુણસ્થાન સુધી તે જંપીને ન બેસે; એવો અપ્રમાદ, એવી જાગૃતિ, એવી તમન્ના, એવું સાહસ અને એવો પ્રચંડ પુરુષાર્થ પોતાના જીવનમાં સાધક કરે છે. ક્ષણે ક્ષણે તેની જાગૃતિ વધતી જાય છે. ચોથા ગુણસ્થાનથી સાધનાની શરૂઆત થઈ. પાંચમે ગુણસ્થાને સાધના વધી, છà વધી, એથી સાતમે આઠમે વધારે વધી. શાસ્ત્રો એમ કહે છે કે આઠમે ગુણસ્થાને ગયા પછી અમારું માર્ગદર્શન બંધ. સાતમા ગુણસ્થાન સુધી જ માગદર્શન આપી શકીએ. સાતમા ગુણસ્થાનક પછી માર્ગદર્શન નહિ આપી શકીએ. ત્યાં સામર્થ્ય યોગ છે. સાધના કરતાં અંદર આત્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. એક અંતમુહૂતમાં તમામ કર્મનો ફેંસલો આ આત્મા બોલાવે છે. ક્ષપકશ્રેણી હોય કે ઉપશમ શ્રેણી હોય, એ બન્નેનો પ્રારંભ આઠમા ગુણસ્થાનથી થાય, અને પ્રારંભ કર્યા પછી ઉપશમ શ્રેણી હોય તો સીધો અગિયારમે ગુણસ્થાને જાય, અને ક્ષપક શ્રેણી હોય તો સીધો બારમા ગુણસ્થાને જાય. બારમા ગુણસ્થાને પહોંચે ત્યારે મોહનીય કર્મ તો નથી જ, પરંતુ બાકીના જે ત્રણ ઘાતીકર્મો છે તેનો ત્યાં ક્ષય થાય. તેરમે ગુણસ્થાને પગ મૂકે ત્યારે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અને અનંત વીર્યનો ખજાનો પોતાના હાથમાં આવી જાય. એ કૃતકૃત્ય થઈ જાય. આ તળેટીથી દાદાના દરબારમાં પહોંચતા શ્વાસ ચડી જાય અને હાંફી જવાય. સમ્યગ્દર્શન તળેટી છે અને તેરમું ગુણસ્થાન દાદાનો દરબાર છે, ત્યાં પહોંચવું છે. ત્યાં પહોંચવા માટે બે મજબૂત પરિબળો સત્શાસ્ત્ર, અને સદ્ગુરુ. સાસ્ત્રો વચમાં છૂટી જશે તો સદ્ગુરુ એક સહાયક પરિબળ છે. એક તબક્કો એવો આવે છે કે શાસ્ત્રો કહે છે હવે અમારી પાસે વધારે પ્લાનીંગ નથી. તમારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy