SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ માગો છો. આટલી લાંબી યાત્રા કરવા મન સતત સાથે જોઈએ. ક્ષમાપના આપવા માટે ઊભા તો થયા, પરંતુ મન તુરત જ કહેશે કે ખબર નથી? આણે ખૂબ પજવણી કરી હતી. આટલી હેરાનગતિ કરે, તેને ક્ષમા અપાતી હશે? અને તમારા ભાવો ત્યાં બદલાઈ ગયા. આ મન, વાણી અને શરીર આ ત્રણે ત્રણ સાધનો સ્વછંદમાં વપરાય છે. મોહના હથિયાર બને છે. રાગદ્વેષના હથિયાર બને છે. એમાંથી સાધનને બચાવવા હોય તો શ્રેષ્ઠ ઉપાય તે સાધનો સદ્ગુરુના હાથમાં સોંપી દેવા. હું કહું છું, તે પ્રમાણે કરવું તેટલું સરળ નથી. પૈસા આપી શકાય પણ મન, વાણી અને શરીર આપી દેવું તે સરળ નથી. જે કોઈ કાર્ય કરો તે પોતાની ઈચ્છા કે છંદે ન કરો, તે એટલા માટે કહ્યું કે આ ત્રણે ત્રણ સાધનો કર્યતંત્રના બંધનમાં નિમિત્ત ન બને. આ ત્રણે ત્રણ સાધનોને તમે મુક્ત થવાના ઉપાયમાં પણ વાપરી શકો છો. તો શરૂઆત ક્યાંથી કરવી? આ ત્રણે ત્રણ સાધનો સપુરુષનાં ચરણોમાં, હાથમાં સોંપી દેવાં. આ મારી વૃત્તિઓ, ભાષા, તમારી આજ્ઞાએ અને મારું સમગ્ર આચરણ પણ તમારી આજ્ઞાએ વર્તે. સમગ્રપણે પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ તમારે જીવવાનું છે. જૈન પરંપરામાં નવદીક્ષિત મુનિને દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ કરવાનો હોય છે. દશવૈકાલિક સૂત્રમાં આચારસંહિતા છે. હે મુનિ ! તમે “દીક્ષા ગ્રહણ કરી, સંસારથી મુક્ત બન્યા, હવે તમારી ભૂમિકા પ્રમાણે શ્રેષ્ઠ જીવન વિતાવવું હોય તો આ ઉપાયો છે. ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ અને એષણા સમિતિ, આ મનની, વચનની અને કાયાની ગુપ્તિ. આહાર આવી રીતે લેવો. ઊઠવું બેસવું, બોલવું બધું યતના-જયણા પૂર્વક કરવું, જેથી કર્મબંધ ન થાય.” શિષ્ય ગુરુદેવને પૂછે છે, “પ્રભુ ! ધર્મનું સ્વરૂપ શું છે? અને ગુરુદેવ કહે છે, “શાળા, સ્થ.” ટૂંકી વાત કે જ્ઞાની પુરુષની, સપુરુષની, વીતરાગ પુરુષની આજ્ઞાનું પાલન કરવું તે ધર્મ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું કે “આગ્નવો સર્વથા હેય, ‘મારવો સર્વથા દેય પાયશ્ચ સંવર: આગ્નવ સર્વથા ત્યાગ કરવા જેવો છે અને સંવર હંમેશા ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવો છે. એ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. આ ધરતી ઉપર ઘણા તીર્થંકરો થયા અને હજુ પણ થશે. અનંત ચોવીશીઓ થઈ અને બીજી પણ થશે. આજે પણ તીર્થકરો છે, પણ તમામ તીર્થકરોની આજ્ઞા એક જ છે કે આગ્નવો સદા હેય-છોડવા યોગ્ય છે. અને સંવર હંમેશા ઉપાદેય છે-આચરવા યોગ્ય છે. (આસ્રવ એટલે કર્મનું આવવું અને સંવર એટલે આવતાં કર્મોને રોકવાં) ગુરુદેવ કહે છે, શાળાએ ઇમો | આજ્ઞાનું પાલન એ ધર્મ છે. આજ્ઞાની આરાધના એ ધર્મ અને આજ્ઞાની વિરાધના એ અધર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy