SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૯ ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર' ત્રણે યોગથી એટલે “મન, વચન, અને શરીરથી” આ ત્રણે યોગ સમજી લેવાં જેવાં છે. શરીરથી કંઈ નુકસાન થયું હોય તો વાણીથી ભરપાઈ થાય. વાણીથી કંઈ નુકસાન થયું હોય તો મનથી ભરપાઈ થાય. શરીરથી કોઈને દુઃખ આપ્યું, કોઈને પીડા આપી, કોઈની આંખમાં આંસુ આવ્યા, કોઈને મુશ્કેલીમાં મૂક્યો, કોઈને સ્વાર્થને કારણે પરેશાન કર્યો, અને ભાન થાય ત્યારે વાણીથી કહી શકો કે “ભાઈ ! આ મારે નહોતું કરવું જોઈતું, મારી ભૂલ થઈ ગઈ.' વાણીથી ભૂલ થાય તો કેવી રીતે મટે? વાણીની ભૂલ થઈ હોય તો મનથી ભાવ કરજો કે નહોતું બોલવું જોઈતું અને હું બોલી ગયો, પણ મનની ભૂલ થાય તો ક્યાં જશો? શરીરની ખામી વાણીથી અને વાણીની ખામી મનથી દૂર કરી શકશો. જ્યારે મનનું કામ છે ભાવ કરવાનું. મનને ભાવ કરવાની ક્ષમતા છે. શરીર અને વાણી અભિવ્યક્તિ કરી શકે, ભાવ ન કરી શકે, મનમાં ભાવ થાય છે, ભાવથી મનની ભૂલ દૂર કરી શકાય છે. શાસ્ત્રોએ કહ્યું કે, ‘ભાવે ભાવના ભાવીયે, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. આ બોલો છો પણ ભાવની કેટલી ક્ષમતા છે તે જાણો છો? શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મબંધનું કારણ માત્ર ક્રિયા નથી પણ કર્મબંધનું મુખ્ય કારણ ભાવ છે. ભાવકર્મનિજ કલ્પના, માટે ચેતનરૂપ.” ભાવકર્મ એ અંદરમાં ઊઠતાં કંપનો છે. મનમાં ભાવ ઊઠે છે, ક્રોધનો, અહંકારનો, માયાનો, વાસનાનો, લોભનો, ઈર્ષાનો, હિંસાનો, અસત્ય અને સ્વાર્થનો, ચોરીનો. પરિગ્રહનો, સંકુચિતતાનો, રાગનો, દ્વેષનો, ગમા-અણગમાનો. આ બધા ભાવો મનમાં ઊઠે છે, અને જેવાં એ ભાવો ઊઠે કે વિલંબ થયા વગર એ જ ક્ષણે કર્યતંત્રની રચના થઈ જાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, ચાર ચાર એ જ સમયે નક્કી થઈ જાય છે. આ કર્મ ક્યારે ઉદયમાં આવશે ? કેટલો ટાઈમ ભોગવવાનું થશે ? કેવું ફળ મળશે? ક્યા ક્ષેત્રમાં અને ક્યા સંજોગોમાં મળશે ? કેટલાં વર્ષ પછી મળશે તે આખી વ્યવસ્થા એક ક્ષણમાં નક્કી થઈ જાય છે. અનાદિકાળથી આ બધી પ્રક્રિયા અંદર ચાલુ જ છે. આપણને ભાવ થાય ને કર્યતંત્ર એની રચના કરી લે છે. અંદર ભાવો ઊઠે છે, તેમાં આપણું અજ્ઞાન અને સ્વછંદ ભળે છે, એમાં આપણો રાગ, દ્વેષ ભળે છે. ક્રોધ કરવો હોય તો પણ મન જોઈશે, શરીર અને વાણી જોઈશે, અને ક્ષમા માંગવી હશે તો પણ મન, શરીર અને વાણી જોઈશે. મનમાં મૈત્રીભાવ આવે, મનમાં ક્ષમાનો ભાવ આવે, મનમાં પ્રેમ પ્રગટે પછી એ ભાવ વાણીમાં વ્યક્ત થાય અને શરીરમાં તેની અભિવ્યક્તિ થાય. સામી વ્યક્તિ પાસે જઈ, અત્યંત નમ્રપણે માથું મૂકીને, બે હાથ જોડીને તમે ક્ષમાપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy