SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ વિધિના હાથમાં છે, કર્મતંત્રના ફળ રૂપે છે. તેમાંથી તમે પસાર થાઓ છો. કેવી રીતે પસાર થવું એ તમારા અધિકારની વાત છે. એટલા માટે શાસ્ત્રોએ એક શબ્દ આપ્યો, સમતા', તમે જ્યારે પસાર થાવ ત્યારે સમતાભાવથી પસાર થાવ. (સમતાથી કર્મફળ ભોગવો) ઉપશમ ભાવથી પસાર થાવ, નિગ્રંથભાવથી પસાર થાવ. આ સારું છે, આ નરસું છે તે લેબલ માર્યા વગર પસાર થઈ શકો છો, આમાં કર્મની કૃપાની જરૂર નથી, આમાં તમારી સાવચેતીની જરૂર છે, અને આવો પુરુષાર્થ તમે કરી શકો છો. શાસ્ત્રોને અહીં કહેવું છે કે આવો પુરુષાર્થ કરવાની ક્ષમતા આત્મામાં છે, તે પોતાનું સામર્થ્ય વાપરે. કેવી રીતે પ્રારંભ કરશો? - કૃપાળુદેવે કહ્યું કે “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” જીવનની ધન્યપળે ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો જીવનું કામ થઈ જાય. પ્રાપ્તિ એટલે મળવું, યોગ થવો, સંબંધ થવો, સમાગમ થવો, પરિચયમાં આવવું. પ્રાપ્તિ એટલે ચેતના સાથે ટ્યુનીંગ થવું. પ્રાપ્તિ થયા પછી સાધકને એક ભાવ એ આવવો જોઈએ કે મને મારા જીવનમાં સદ્દગુરુની પ્રાપ્તિ થઈ છે, તેમનો મારા પર મોટામાં મોટો ઉપકાર છે. કારણ અનાદિકાળથી સંસારમાં જે પરિભ્રમણ થયું છે તે સદૂગુરુનો યોગ પ્રાપ્ત ન થવાથી થયું છે. તેમનો યોગ થયો નથી, તેમનું બહુમાન થયું નથી, એમની સાથે જીવનો તાલમેલ થયો નથી તેથી પરિભ્રમણ થયું છે. સંસારમાં પણ પતિ-પત્નીને સાથે રહેવું હોય તો તાલમેલ બેસાડવો પડે છે, તેવી રીતે સદ્ગુરુ અને શિષ્યનો તાલમેલ જરૂરી છે. મરજી, નામરજીનો સવાલ જ નથી. - સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી શિષ્ય તેમનો પરમ ઉપકાર માને છે. હવે તેને થાય છે કે જે કર્મક્ષયની પ્રતીક્ષા હતી, સંસારમાંથી મુક્ત થવાની જે ધૂન લાગી હતી, ગ્રંથિભેદ કરવો હતો, આત્મ સાક્ષાત્કાર કરવો હતો, વીતરાગતા પ્રાપ્ત કરવી હતી, આત્માનો આવિર્ભાવ કરવો હતો, ચેતનાને ખીલવવી હતી, આત્મ દ્રવ્યના ગુણ અને પર્યાયને ખીલવવાં હતાં, વિકસિત કરવાં હતાં, અને આત્મદ્રવ્યરૂપી કમળ જેનાં અસંખ્યાત પ્રદેશો છે, પ્રદેશ પ્રદેશે અનંતગુણો છે, એ ગુણોની પણ અનંત પર્યાયો છે, તે આખા દ્રવ્યને મારે ખીલવવું છે, એ મારી ભાવના સાર્થક થવાનો અવસર આવી ગયો છે, અને અવસર એટલા માટે આવ્યો, કે મને સદ્દગુરુની પ્રાપ્તિ થઈ. મુખ્ય દરવાજો ખોલ્યા સિવાય અંદર ન જવાય. સદૂગુરુનો યોગ મુખ્ય દરવાજો છે. એ દરવાજાથી જવાશે, અને એ દરવાજો મોક્ષ સુધી જોડાયેલો છે. શાસ્ત્રમાં એક શબ્દ છે. “ગુરુજીંતાણુવત્તળું ‘એટલે એક પણ સાધના એવી નથી કે જ્યાં તમારું ગીત, સંગીત, તમારો અવાજ, તમારી પસંદગી ચાલે. તમારા ઉપર એક શ્રેષ્ઠ તત્ત્વ છે અને તે છે સદ્ગુરુ. તેઓ મળે તો શું કરવું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy