SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૩ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તમારા સમગ્ર જીવનનો ઘાટ ઘડાવવાનો પ્રારંભ થાય છે. અત્યાર સુધી આરસની ખાણમાં આરસનો પત્થર હતો, આજે આરસપહાણનો પત્થર બહાર આવ્યો અને કુશળ શિલ્પીના હાથમાં એ પત્થર મૂકાઈ ગયો. સગુરુની પ્રાપ્તિ થશે ત્યારે એ તમને ઘડવાનું કામ શરૂ કરશે, તમે ઘડાવા દેજો, અને ટાંકણું મારે તો ખમજો, હથોડાનો ઘા કરે તો પણ ખમજો. ખમવાની આપણી તૈયારી જ નથી. સમ્યગદર્શન એવી ચીજ છે કે પરમાત્માનો અનુગ્રહ હોય તો જ થાય. નયસાર ભગવાન મહાવીરનો પહેલો જન્મ, ત્યાર પછી ૨૭ભવ થયા. નયસાર જંગલમાં ગયેલ છે, બપોરનાં બાર વાગ્યાં છે. સેંકડો મજૂરો કામ કરે છે. જમવા માટે ભોજન આવ્યું છે, ખૂબ કામ કરેલ છે. કકડીને ભૂખ લાગી છે. તે વખતે નયસારને વિચાર આવે છે, આવા વખતે કોઈ જ્ઞાની સપુરુષ જો આવે તો એમને હું ભોજન આપું અને પછી હું ભોજન કરું તો મારો દિવસ સાર્થક થાય. આપણને આવો વિચાર આવે ખરો? નયસારે બહુ પ્રતીક્ષા કરી, ત્યારે માર્ગ ભૂલેલા મુનિ ભગવંતો ત્યાં આવીને ઊભાં રહ્યાં. આ ટ્યુનીંગ છે જગતમાં. નયસાર યાદ કરી રહ્યો છે અને મુનિઓ આવ્યાં. જોતાંની સાથે નયસાર આશ્ચર્યમુગ્ધ થઈ ગયો, એ ઉલ્લાસમાં ઘેલો અને પાગલ જેવો બની ગયો. મુનિ મારે આંગણે આવ્યાં ! એને ખબર નથી કે આ જૈન પરંપરાના મુનિઓ છે. ભગવાનની કૃપા થઈ. જેમ સાતખોટના દીકરાને જોઈને મને આનંદ થાય તેવો આનંદિત થયો છે કે મારે આંગણે સંત પધાર્યા ભાવથી વહોરાવ્યું. મુનિઓ તેના મુખ સામે જુએ છે, એની આંખો અને વર્તન સામે જુએ છે, હાથ જોડીને ઊભો છે, તેની પદ્ધતિ સામે જુએ છે. તેમને લાગ્યું કે, આને ઉપદેશ આપવા જેવો છે, આ જીવને સમ્યગદર્શન થશે. મહારાજે આહાર લીધો, વિશ્રામ કર્યો પછી નયસારને બોલાવે છે, નયસાર હાથ જોડી સામે બેસે છે અને કહે છે, “પ્રભુ, આપ આપના શિષ્યને ઉપદેશ આપો છો તેમ મને પણ કંઈક કહો.” મુનિના હૃદયમાં ઉલ્લાસ થાય છે, તેને ઉપદેશ આપે છે, જેમ જેમ ઉપદેશ સાંભળતો ગયો તેમ તેમ ઠરતો ગયો. તેના કાને “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં', આ સૂત્રો ગયાં અને તે અંદર ઠરતો ગયો અને શાસ્ત્રમાં વર્ણન છે કે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. નયસારે માર્ગ ભૂલેલા મુનિઓને દ્રવ્ય માર્ગ બતાવ્યો. નયસાર કહે છે, “ગુરુદેવ! આપે જે માર્ગ-રસ્તો બતાવ્યો છે તેનો ઉપકાર કઈ રીતે ભૂલું !” પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. બીજી કડીમાં સાધનાની શરૂઆત થઈ, શું સાધના? શું પ્રક્રિયા? ત્રણે યોગ એકત્વથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy