SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ વર્તે આજ્ઞાધાર. ત્રણે યોગ એટલે મન, વચન અને શરીર; વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. સૌથી પહેલું કામ એને મન ઉપર કરવાનું છે. વૃત્તિઓ મનમાં ઊઠે છે, તે મારાથી રોકી શકાય તેમ નથી. આ બધી વૃત્તિઓ સગુરુના હાથમાં સોંપી દેવી. ઊઠેલ વૃત્તિને મારે હવે પોષવી નથી. આ મોટી સાધના છે. તમે કપડાં, આહાર, શ્રીફળ, ધન બધું આપી શકો, ચરણોમાં નમસ્કાર કરો, પરંતુ અહીં એમ કહે છે કે ઊઠતી વૃત્તિઓને મેં મારી રીતે પોષી હતી, હવે મારી રીતે પોષવી નથી. જે વૃત્તિઓ જીતવી કાઠી પડતી હતી, તે વૃત્તિઓને જીતવાનો ઉપાય મળી ગયો. વૃત્તિઓનો દોર સદ્ગુરુના હાથમાં સોંપવો છે. સરુના હાથમાં જો તમે વૃત્તિઓ સોંપશો તો વૃત્તિઓ તમને હેરાન કરશે નહિ. બીજામાં જતું મન રોકી સદ્ગુરુનું જ સ્મરણ કરવું, સદ્ગુરુના ભાવ પ્રમાણે કરવું, સપુરુષનું જ અવલોકન કરવું, તેમનું ચિંતવન કરવું. હજુ આત્મા જોયો નથી, જાણ્યો નથી, હજુ આત્માનું ચિત્ર બરાબર તૈયાર થયું નથી, પણ એક ચિત્ર તમારી સમક્ષ આવ્યું છે, તે પુરુષ સાકાર છે, તે સજીવન મૂર્તિનો આકાર જોવા મળ્યો, તેમનું ધ્યાન કરીએ, મનન મંથન કરીએ, તેમનો વિચાર કરીએ. બીજું ધ્યાન નહિ થાય, નિર્વિકલ્પ ધ્યાન કરવું એટલું સહેલું નથી. ઘણાં કહેતા હોય છે કે અમે નિર્વિકલ્પ થઈ ગયા, એને એ ખબર પડવી જોઈએ કે તે જડ થયો કે નિર્વિકલ્પ થયો? નિર્વિકલ્પ અવસ્થા એક અદ્ભુત અવસ્થા છે, પહેલાં આત્માનું ધ્યાન નહિ થાય. તમે આત્માને જોયો નથી, જાણ્યો નથી તો કેવી રીતે ધ્યાન કરશો? (૧) તમને એક કડી મળી ગઈ કે સૌ પ્રથમ સદ્ગુરુનું ધ્યાન, સદ્ગુરુનો વિચાર, સદ્દગુરુનું મનન કરવું. એમના પ્રત્યે પ્રેમ, એમના પ્રત્યે આદર. આપણો પ્રેમ જે દુનિયાભરમાં ફેલાયેલો છે તે બધો જ ભેગો કરી સદ્ગુરુના ચરણમાં ઢગલો કરી દઈએ અને તેમને પ્રેમથી પૂજીએ. ટાગોરજી કહેતાં હતાં કે “હે ભગવાન! આ ફૂલો તમારાં બનાવેલાં છે, આ પાણી, આ મૂર્તિ તમારી બનાવેલી, તમારું તમને આપીએ તેમાં શું નવાઈની વાત ! એના કરતાં અમે અમારી જાતને સહજ રીતે તૈયાર કરી, તમારા ચરણોમાં અર્પણ કરીએ, સોંપીએ એ અમારી પૂજા છે.' આનું નામ સાધના. આ સાધના ચાલુ થઈ, હવે પૂછશો નહિ કે અમારે શું કરવું? તમે સત્તર જણને પૂછો છો, અને કરવું જ હોય તો પૂછવા પણ રહેતાં નથી. સપુરુષનું મનથી ધ્યાન કરો, તેમના આકારનું ધ્યાન કરો, આત્માને રૂપ, રંગ, આકાર, કદ નથી. તેથી હમણાં આત્માનું ધ્યાન થઈ શકશે નહિ. (૨) વાણીથી સપુરુષના ગુણાનુવાદઃ- એમની સ્તુતિ કરીએ. પ્રણિપાતપૂર્વક સ્તુતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy